મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની પ્રથમ વરસીએ કાલે ગાંધી આશ્રમ ખાતે યોજાશે શ્રદ્ધાંજલિ સભા: ટ્રેજેડી વિકટીમ એસો.


SHARE











મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની પ્રથમ વરસીએ કાલે ગાંધી આશ્રમ ખાતે યોજાશે શ્રદ્ધાંજલિ સભા: ટ્રેજેડી વિકટીમ એસો.

મોરબીની જુલતા પુલ દુર્ઘટનાને કાલે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે ઝુલતાપુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો દ્વારા કાલે અમદાવાદમાં આવેલ ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીથી ૨૦૦ થી વધુ લોકો હાજર રહેશે તેવું હાલમાં ટ્રેજેડી વિકટીમ એસો.ના હોદ્દેદાર પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબીમાં તા, ૩૦/૧૦/૨૨ ના રોજ સાંજના સમયે જુલતો પૂલ તૂટી પડ્યો હતો અને ત્યાં હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી બાળકો, મહિલા, વૃદ્ધો, સગર્ભા મહિલા સહિત કુલ મળીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા આ બનાવ સંદર્ભે હાલમાં કોર્ટની અંદર મેટર ચાલી રહી છે અને તાજેતરમાં સિટનો રિપોર્ટ આવી ગયો છે જેમાં ઓરેવા કંપની, તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર દર્શાવવામાં આવેલ છે તેવામાં આવતી કાલે તા ૩૦/૧૦ ના રોજ આ ઘટનાને એક વર્ષ પૂરું થઈ રહયું છે ત્યારે ટ્રેજેડી વિકટીમ એસોસિયેશ દ્વારા જુલતાપુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક વ્યક્તિઓના પરિવારજનો દ્વારા ઉપવાસ રાખીને શ્રદ્ધાંજલિ યાત્રાનું અમદાવાદ ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, કાલે વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી રેલીની મંજૂરી મળી નથી જેથી કાલે આ ઘટના મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે કાલે સવારે ૭ થી બપોરે ૨ વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ સભા યોજાશે જેમાં મોરબીથી ૨૦૦ થી વધુ લોકો જોડાશે તેવું હલમ ટ્રેજેડી વિકટીમ એસોસિએશન મોરબીના હોદ્દેદારો પાસેથી જાણવા મળી રહ્યું છે






Latest News