મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની પ્રથમ વરસીએ કાલે ગાંધી આશ્રમ ખાતે યોજાશે શ્રદ્ધાંજલિ સભા: ટ્રેજેડી વિકટીમ એસો.


SHARE







મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની પ્રથમ વરસીએ કાલે ગાંધી આશ્રમ ખાતે યોજાશે શ્રદ્ધાંજલિ સભા: ટ્રેજેડી વિકટીમ એસો.

મોરબીની જુલતા પુલ દુર્ઘટનાને કાલે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે ઝુલતાપુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો દ્વારા કાલે અમદાવાદમાં આવેલ ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીથી ૨૦૦ થી વધુ લોકો હાજર રહેશે તેવું હાલમાં ટ્રેજેડી વિકટીમ એસો.ના હોદ્દેદાર પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબીમાં તા, ૩૦/૧૦/૨૨ ના રોજ સાંજના સમયે જુલતો પૂલ તૂટી પડ્યો હતો અને ત્યાં હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી બાળકો, મહિલા, વૃદ્ધો, સગર્ભા મહિલા સહિત કુલ મળીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા આ બનાવ સંદર્ભે હાલમાં કોર્ટની અંદર મેટર ચાલી રહી છે અને તાજેતરમાં સિટનો રિપોર્ટ આવી ગયો છે જેમાં ઓરેવા કંપની, તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર દર્શાવવામાં આવેલ છે તેવામાં આવતી કાલે તા ૩૦/૧૦ ના રોજ આ ઘટનાને એક વર્ષ પૂરું થઈ રહયું છે ત્યારે ટ્રેજેડી વિકટીમ એસોસિયેશ દ્વારા જુલતાપુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક વ્યક્તિઓના પરિવારજનો દ્વારા ઉપવાસ રાખીને શ્રદ્ધાંજલિ યાત્રાનું અમદાવાદ ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, કાલે વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી રેલીની મંજૂરી મળી નથી જેથી કાલે આ ઘટના મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે કાલે સવારે ૭ થી બપોરે ૨ વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ સભા યોજાશે જેમાં મોરબીથી ૨૦૦ થી વધુ લોકો જોડાશે તેવું હલમ ટ્રેજેડી વિકટીમ એસોસિએશન મોરબીના હોદ્દેદારો પાસેથી જાણવા મળી રહ્યું છે






Latest News