મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનું લુણસરીયા ગામ મોરબી જીલ્લામાં સ્વચ્છતા માટે આદર્શ ગામ


SHARE







વાંકાનેર તાલુકાનું લુણસરીયા ગામ મોરબી જીલ્લામાં સ્વચ્છતા માટે આદર્શ ગામ

 સ્વચ્છતા હી સેવાઅભિયાન હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અન્વયે ગુજરાત રાજ્યમાં બે મહિના સુધી સ્વચ્છતા એજ સેવાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ તમામ અભિયાન આયોજનોનો હેતુ માત્ર એ જ છે કે, દેશમાં રાજ્યમાં તમામ ગામડાઓ શહેરો સ્વચ્છ બને અને લોકો જાગૃત બની આ સ્વચ્છતા જાળવી રાખે. મહત્વની વાત એ છે કે, આ પ્રકારના સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોમાં સરકાર, વહીવટીતંત્ર અને લોકો એકજૂથ બની પ્રયાસો કરે ત્યારે વધુ સફળ બને છે. આ સ્વચ્છતા માટે જ્યારે લોકો આગળ આવશે અને સ્વચ્છતાનું મહત્વ સમજી સ્વચ્છતા જાળવવા કટિબદ્ધ બનશે ત્યારે જ ખરાબ અર્થમાં ગામ શહેર રાજ્ય દેશ સ્વચ્છ બનશે.

ગામડું સ્વચ્છ બનશે તો દેશ સ્વચ્છ બનશેઆ વિચારને ખરેખર અમલી બનાવ્યો છે મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે કે, જ્યાં ગ્રામ પંચાયત દ્વારા નિયમિત રીતે ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની, આ કચરાને યોગ્ય જગ્યાએ ઠાલવી તેનું નિકાલ કરવાની તેમજ ગામમાં તમામ જગ્યાઓએ સ્વચ્છતા જાળવી રાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતની આ કામગીરીમાં ગામ લોકો પણ પૂરતો સહયોગ આપે છે. ગામમાં ક્યાંય ખોટી રીતે કચરો ન થાય, ડોર ટુ ડોર વાહનમાં લીલા તેમજ સૂકા કચરાનું અલગ રીતે વ્યવસ્થાપન થાય અને ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે શક્ય તેટલા પ્રયાસો કરવામાં આવે છે. લુણસરિયા ગામને સ્વચ્છતા માટે ૨૦૦૮માં રાષ્ટ્રપતિ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. ગ્રામ પંચાયતની કામગીરી અને લોકોની જનભાગીદારી થકી સ્વચ્છતા માટે આ એવોર્ડ ગામને મળ્યો છે. વિવિધ અભિયાન અન્વયે ગામડાને ફક્ત એકવાર સ્વચ્છ બનાવવાની નહીં પણ અહીં ગામડું સ્વચ્છ બનાવી આ સ્વચ્છતા જાળવી રાખવાની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લાના અન્ય ગામો તેમજ રાજ્યના પણ ગામડાઓ આ નાના એવા ગામથી પ્રેરણા લઈ સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક બનાવી શકે છે.






Latest News