મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નેટના ધાંધીયાથી અરજદારો-વકીલો હેરાન


SHARE







મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નેટના ધાંધીયાથી અરજદારો-વકીલો હેરાન

મોરબીમાં આવેલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં વારંવાર નેટના ધાંધીયા હોય છે જેથી કરીને વકીલો અને અરજદારોને હેરાન થવું પડે છે અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહે તો પણ દસ્તાવેજ થતાં નથી અને અગાઉ પણ આવી જ હેરાન ગતિ હતી તો પણ તેનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી જેથી કરીને દસ્તાવેજ માટે આવેલા અરજદારો સહિતનામાં રોષની લાગણી હતી

અગાઉ મોરબી રેવન્યુ બાર એસોશિએશનના પ્રમુખની આગેવાનીમાં જિલ્લા જીસ્વાન કચેરીના અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નેટવર્કના ધાંધીયા છે જેના કારણે દસ્તાવેજની નોંધણી માટે આવતા અરજદારો તેમજ વકીલોને હેરાન થવું પડે છે અને દસ્તાવેજની કામગીરી થતી નથી આવી જ રીતે સોમવારે મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ માટે ૫૦ થી વધુ લોકોને ઓનલાઈન ટોકન આપવામાં આવ્યા હતા જો કે, દસ્તાવેજ માટે આવેલા લોકોના દસ્તાવેજ થતાં ન હતા જેથી કરીને લોકોના રોષની લાગણી હતી અને અધિકારીને પૂછાતા અધિકારીએ જણાવ્યુ હતું કે, સર્વર ડાઉન હોવાથી દસ્તાવેજની કામગીરી ધીમીગતીએ થઈ રહી છે જો કે, મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી માટે વારંવાર થતાં ધાંધીયા કાયમી ધોરણે કયારે દૂર કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે






Latest News