મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા સમાજના બહેન-દીકરીઓ માટે રાસોત્સવ યોજાયો


SHARE











મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા સમાજના બહેન-દીકરીઓ માટે રાસોત્સવ યોજાયો

મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા સૌ પ્રથમ વખત મોરબીમાં આ વખતે સમાજના બહેન-દીકરીઓ માટે બે દિવસ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ન માત્ર મોરબી પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પણ ક્ષત્રિય સમાજના બહેન દિકરીઓ પરિવાર સાથે રાસ ગરબા લેવા માટે આવ્યા હતા અને ખાસ કરીને આ રાસોત્સવમાં બહેન દીકરીઓએ રાજપૂત સમાજની ઝાંખી કરાવે તેવા વસ્ત્રો પહેરીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી અત્રે ઉલેખનીય છે કે, મોરબીના દરબાર ગઢ ખાતે મોરબી રાજપૂત કરણી સેના દ્વાર બે દિવસ સમાજના દીકરી અને બહેનો માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના બહેન દીકરીઓએ ટ્રેડીશનલ ડ્રેસ તેમજ રાજપૂત સમાજની ઝાંખી કરાવે તેવા વસ્ત્રો પહેરીને રાસગરબાની રમઝટ બોલાવી હતી અને રાસ ગરબાના આ કાર્યક્રમમાં જે બહેન દીકરીઓ દ્વારા સારી રીતે પર્ફોમન્સ કરવામાં આવ્યુ હતુ તેને વેલ ડ્રેસ, વેલ સ્ટાઇલ, વેલ એકસપ્રેસન, પ્રિન્સેસ સહિતના એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ તકે ગુજરાત રાજપુત કરણી સેનાના પ્રમુખ વી.એસ. જાડેજા  સહિતના જુદા જુદા જિલ્લા અને તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ ખાસ કરીને મોરબી રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી મીઠા ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિ દિલુભા ઝાલા, વિક્રમસિંહ જાડેજા, મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલા તેમજ મોરબીના પોલીસ બેડામાં અને જુદીજુદી સરકારી કચેરીમાં ફરજ બજાવતા ક્ષત્રિય સમાજના અધિકારીઓ સહિતના હાજર રહ્યા હતા અને ક્ષત્રિય સમાજની ઝાંખી કરાવે તેવા રાસોત્સવનું આયોજન કરવા બદલ મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાની ટીમને સહુ કોઈએ બિરદાવી હતી






Latest News