હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં રહીને મજૂરી કરતાં યુવાનનું લોહીની ઉલ્ટી બાદ મોત


SHARE











વાંકાનેર નજીક કારખાનામાં રહીને મજૂરી કરતાં યુવાનનું લોહીની ઉલ્ટી બાદ મોત

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે આવેલ સનહાર્ટ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને ઉલટીઓ થવા લાગી હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનને લોહીની ઉલ્ટી થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની ઢુવા ચોકડી પાસે આવેલ સનહાર્ટ સીરામીક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો નથી ત્યાં મજૂરી કામ કરતો હીરાલાલ બાલકરામ સોનકર (૨૪) નામનો યુવાન લેબર કોલોનીમાં હતો અને બીમારી સબબ તેને છેલ્લા બે ત્રણ દિવસથી ભોજન લીધું ન હતું જેથી તેને ઉલટીઓ થવા લાગી હોય તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને લોહીની ઉલ્ટી થયા બાદ તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

ટંકારાની લતીપર ચોકડી પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ભાવેશભાઈ કિશોરભાઈ સચાણીયા (૨૦) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડાએ કરી હતી જોકે આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની એ ડિવિઝન પોલીસ મારફતે જાણ કરવામાં આવશે 






Latest News