ભારતમાં મુસ્લિમોની વસ્તીને અટકાવવા કેન્દ્ર સરકારે નવો કાયદો બનાવવો અનિવાર્ય: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં રહીને મજૂરી કરતાં યુવાનનું લોહીની ઉલ્ટી બાદ મોત


SHARE







વાંકાનેર નજીક કારખાનામાં રહીને મજૂરી કરતાં યુવાનનું લોહીની ઉલ્ટી બાદ મોત

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે આવેલ સનહાર્ટ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને ઉલટીઓ થવા લાગી હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનને લોહીની ઉલ્ટી થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની ઢુવા ચોકડી પાસે આવેલ સનહાર્ટ સીરામીક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો નથી ત્યાં મજૂરી કામ કરતો હીરાલાલ બાલકરામ સોનકર (૨૪) નામનો યુવાન લેબર કોલોનીમાં હતો અને બીમારી સબબ તેને છેલ્લા બે ત્રણ દિવસથી ભોજન લીધું ન હતું જેથી તેને ઉલટીઓ થવા લાગી હોય તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને લોહીની ઉલ્ટી થયા બાદ તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

ટંકારાની લતીપર ચોકડી પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ભાવેશભાઈ કિશોરભાઈ સચાણીયા (૨૦) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડાએ કરી હતી જોકે આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની એ ડિવિઝન પોલીસ મારફતે જાણ કરવામાં આવશે 






Latest News