મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે ડેમુ ટ્રેન હડફેટે ચડી જતાં યુવાનનું મોત


SHARE











વાંકાનેરના ઢુવા પાસે ડેમુ ટ્રેન હડફેટે ચડી જતાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા રેલવે ફાટક પાસેથી પસાર થતી ડેમુ ટ્રેનમાં આવી જતા ગંભીર ઈજા થવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડના પચ્છીમ સિંહભુમ જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ અમૃત સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મહેશ નારણભાઈ ગાગરાઈ (ઉમર ૧૮) ઢુવા નજીક આવેલ રેલ્વે ફાટક પાસે ડેમુ ટ્રેનમાં આવી જતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.જી.ઝાલા ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસની સામે આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા કાનજીભાઈ લાલજીભાઈ ગડેશીયા નામના ૪૮ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના મહેન્દ્રનગર ગામ બાજુથી રંગપર બાજુ જતા સમયે રસ્તામાં બાઈકમાંથી નીચે પડી જવાથી ફેકચર જેવી ઇજાઓ સાથે કાનજીભાઈ ગડેશીયાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવ સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.
 
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં મુન્નાનાથ સુરમનાથ ભાટી નામના ૩૦ વર્ષના યુવાનને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા બીટ વિસ્તારના જમાદાર એ.એમ.જાપડીયા તપાસ માટે સીવીલે પહોંચ્યા હતા જોકે પોલીસ દવાખાને પહોંચી તે પહેલા જ સારવાર લઈને મુન્નાનાથ હોસ્પિટલમાંથી નીકળી ગયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.





Latest News