મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં આશ્રમે દર્શન કરવા ગયેલ યુવાનને ગાળો આપીને માર માર્યો


SHARE







મોરબીમાં આશ્રમે દર્શન કરવા ગયેલ યુવાનને ગાળો આપીને માર માર્યો

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરે સૂરદાસ બાપુની સમાધિના દર્શન કરવા માટે આવેલા યુવાનને બહાર જવા માટે થઈને કહ્યું હતું અને તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે તેને માર મારવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જુના રોડ ઉપર ત્રાજપર પાસે આવેલ મધુવન સોસાયટીની પાસે અંબિકા સોસાયટીમાં રહેતા અને સીરામીકમાં નોકરી કરતા સત્યજીતભાઈ ગોવિંદભાઈ માંડલ જાતે અનુ. જાતી (૩૫)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ મગનભાઇ ટીડાણી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ગત તા૨૬-૯ ના રોજ બપોરના એકાદ વાગ્યાના અરસામાં ઘુટુ રોડ ઉપર સિરામિકની સામે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરે સૂરદાસ બાપુના આશ્રમમાં દર્શન કરવા માટે થઈને ગયેલ ત્યારે ત્રાજપર વાળા રમેશભાઈ મગનભાઈ ટીડાણિએ આશ્રમમાંથી બહાર જવા માટે કહ્યું હતું જેથી કરીને આશ્રમે હું મારા ગુરુ સૂરદાસ બાપુની સમાધિના દર્શન કરવા માટે આવેલ છું તેવું યુવાને કહ્યું હતું જેથી રમેશભાઈએ કહ્યું કે, “અહીં તારે આવવું નહીં તેમ કહીને ગાળો આપી હતી અને ગાળો બોલવાની ના પડતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે તેને માર્યો હતો” જેથી કરીને યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેને તજવીજ શરૂ કરેલ છે.

ઈલેક્ટ્રીક શોટ લાગતા સારવારમાં

મોરબી તાલુકાના વનાળીયા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના પરિવારના સેવંટાબાઈ ભિમસિંગ ભિરવાલ નામની ૨૧ વર્ષીય મહિલાને વહેલી સવારે છ વાગ્યાના અરસામાં ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો.જેથી તેને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.હોસ્પિટલ ખાતે તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

 
યુવાન સારવારમાં ખસેડાયો
મોરબીના સામાકાંઠે નઝરબાગ નજીક આવેલ બૌદ્ધનગર વિસ્તારમાં રહેતા નરેન્દ્ર જયેશભાઈ મકવાણા નામના ૨૮ વર્ષના યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હોવાનું બી ડિવિઝન પોલીસસુત્રોમાંથી જાણવા મળ્યું છે.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મકવાણાએ પોતાની જાતે પોતાના ડાબા હાથે તથા પેટના ભાગે છરી મારી દેતા તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસમાં હોસ્પીટલ દ્રારા જાણ કરાતા પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આ બનાવના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.





Latest News