મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

પોલીસ વિભાગની બેદરકારીથી પોલીસ પરિવાર વિમાની રકમ મેળવવા હેરાન: મોરબી તકરાર કોર્ટે ખર્ચની રકમ ચૂકવવા કર્યો આદેશ


SHARE







પોલીસ વિભાગની બેદરકારીથી પોલીસ પરિવાર વિમાની રકમ મેળવવા હેરાન: મોરબી તકરાર કોર્ટે ખર્ચની રકમ ચૂકવવા કર્યો આદેશ

મોરબી તાલુકાના કેરાળી ગામના વતની સંજયભાઇ રાણાભાઇ મિયાત્રાના ભાઇ વસંતભાઇ મિયાત્રા પોલીસ ખાતામાં નોકરી કરતાં હતા. આ વસંતભાઇની બન્ને દીકરી દિયા અને દ્રષ્ટી યુનાઇટેડ ઇન્સ્યુરન્સ વીમા કંપની સામે કેઇસ કરેલ તેમના પિતા વસંતભાઇ તા.૧૩-૨-૧૭ નાં રોજ ફરજ દરમ્યાન જામનગર રાજકોટ રોડ પર પેટ્રોલીંગ કરતાં હતાં. અને તેમનો અકસ્માત થતાં તેઓ બે વર્ષ સુધી કોમામાં હતા અને તા.૨૯-૧૨-૧૯ ના રોજ મૃત્યુ પામેલ હતા વસંતભાઇ ગૃપ પોલીસીમાં આવતાં હોઇ વીમાની કાર્યવાહી સુપ્રિટેન્ડ ઓફ પોલીસ જામનગરની ઓફિસથી કાર્યવાહી કરવી જોઈએ અને વસંતભાઇને ૧૦,૦૦,૦૦૦ નો વીમો મળવો જોઇએ પરંતુ વીમા કંપનીએ કહયુ કે કોમામાં મરણ પામેલ હોઇ પોલીસી અસ્તીત્વમાં આવતી નથી અને વીમા કંપનીએ હાથ ઉંચા કરી લીધા હતા

જેથી કરીને સંજયભાઇ રાણાએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા મોરબી ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરતાં અદાલતે હુકમ કર્યા કે કોઇપણ કર્મચારી અકસ્માત મૃત્યુ પામે તો વીમાની ફરિયાદ જે તે ઓફિસે કરવાની હોઇ માટે ભલે સમય ગયો હોઇ પણ સુપ્રિટેન્ડ ઓફ પોલીસ જામનગર મરણજનાર વસંતભાઇના વીમાની કાર્યવાહી બે મહિનામાં ગ્રાહક અદાલતમાં મુકવી અને બન્ને દિકરીને ૩૫,૦૦૦ માનસીક ત્રાસના તથા ૧૫,૦૦૦ ખર્ચાના આમ કુલ મળીને ૫૦,૦૦૦ ગત તા.૧૫-૨-૨૨ થી સાત ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે. વધુમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવેલ છે કે, કોઇપણ કર્મચારી અકસ્માતે મૃત્યુ પામે તો તેના વીમાની કાર્યવાહી જે તે વડા કરે અને કુટુંબના સભ્યો તે ખાસ સંભાળ કરીને કાર્યવાહી કરવી જોઇએ જો કે, ૬ વર્ષનો સમય ગયો છતાં કોર્ટ જેતે ખાતાએ કેઇસ રજુ કરવાનો હુકમ કરેલ છે અને કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨), બળવંતભાઇ ભટ્ટ અને રામભાઇ મહેતાનો સંપર્ક કરવા જણાવેલ છે.






Latest News