મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે વીમા કંપની પાસેથી અકસ્માતનું ગ્રાહકને વળતર અપાવ્યું


SHARE







મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે વીમા કંપની પાસેથી અકસ્માતનું ગ્રાહકને વળતર અપાવ્યું

કોઈ પણ વાહન અકસ્માતમાં વાહન ચાલકને ઇજા થાય તો જ વીમો મળે તેવું નથી તો પણ મોરબીમાં વાહન અકસ્માતમાં કેસમાં વાહન ચાલકને ઇજા નથી થઇ જેથી વળતર ન મળે તેવું કહીને વીમા કંપનીએ હાથ ઊંચા કરી સીધા હતા જો કે, મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે વીમા કંપની સામે કાનૂની લડત કરીને વીમા કંપની પાસેથી ગ્રાહકને ૧.૪૫ લાખનું વળતર અપાવ્યું છે

મોરબી તાલુકાના ખાનપર ગામના રહેવાસી ગીરીરાજસિંહ જાડેજાએ રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપની પાસેથી વાહનની પેકેજ પોલીસી લીધેલ હતી અને તે વાહન મોરબી નજીકના સરતાનપર રોડ ઉપર જતુ હતુ ત્યારે અકસ્માતના બનાવમાં વાહનમાં નુકશાન થયું હતું જેથી કરીને ગ્રાહકે વીમા કંપનીને સમયસર કાગળો આપી દીધા હતા ત્યારે અકસ્માતમાં ડ્રાઇવરને કોઇ ઇજા થયેલ નથી જેથી વીમો મળે નહી તેવી વીમા કંપનીએ જવાબ આપેલ હતો અને વીમો નામંજુર કરેલ હતો જેથી આ ગ્રાહક મોરબી જીલ્લા સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કરેલ હતો અને મોરબી ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરેલ હતો અને ગ્રાહક અદાલને વીમા કંપનીને કહ્યું હતું કે, અકસ્માત સમયે ડ્રાઇવરને લાગવુ જરૂરી નથી આવા કારણોસર ગ્રાહકેને વીમો આપવાની ના પાડી શકાય નહીં અને વીમા કંપનીની સેવામાં ખામી હોય ગ્રાહકને ૧,૩૫,૮૦૦ અને ૭,૦૦૦ માનસીક ત્રાસના તેમજ ૩૦૦૦ ખર્ચના આમ કુલ મળીને ૧,૪૫,૮૦૦ સાત ટકા વ્યાજ સાથે તા. ૫/૪/૨૦૨૧ થી આપવાનો હુકમ કરેલ છે .






Latest News