મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે વીમા કંપની પાસેથી અકસ્માતનું ગ્રાહકને વળતર અપાવ્યું


SHARE











મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે વીમા કંપની પાસેથી અકસ્માતનું ગ્રાહકને વળતર અપાવ્યું

કોઈ પણ વાહન અકસ્માતમાં વાહન ચાલકને ઇજા થાય તો જ વીમો મળે તેવું નથી તો પણ મોરબીમાં વાહન અકસ્માતમાં કેસમાં વાહન ચાલકને ઇજા નથી થઇ જેથી વળતર ન મળે તેવું કહીને વીમા કંપનીએ હાથ ઊંચા કરી સીધા હતા જો કે, મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે વીમા કંપની સામે કાનૂની લડત કરીને વીમા કંપની પાસેથી ગ્રાહકને ૧.૪૫ લાખનું વળતર અપાવ્યું છે

મોરબી તાલુકાના ખાનપર ગામના રહેવાસી ગીરીરાજસિંહ જાડેજાએ રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપની પાસેથી વાહનની પેકેજ પોલીસી લીધેલ હતી અને તે વાહન મોરબી નજીકના સરતાનપર રોડ ઉપર જતુ હતુ ત્યારે અકસ્માતના બનાવમાં વાહનમાં નુકશાન થયું હતું જેથી કરીને ગ્રાહકે વીમા કંપનીને સમયસર કાગળો આપી દીધા હતા ત્યારે અકસ્માતમાં ડ્રાઇવરને કોઇ ઇજા થયેલ નથી જેથી વીમો મળે નહી તેવી વીમા કંપનીએ જવાબ આપેલ હતો અને વીમો નામંજુર કરેલ હતો જેથી આ ગ્રાહક મોરબી જીલ્લા સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કરેલ હતો અને મોરબી ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરેલ હતો અને ગ્રાહક અદાલને વીમા કંપનીને કહ્યું હતું કે, અકસ્માત સમયે ડ્રાઇવરને લાગવુ જરૂરી નથી આવા કારણોસર ગ્રાહકેને વીમો આપવાની ના પાડી શકાય નહીં અને વીમા કંપનીની સેવામાં ખામી હોય ગ્રાહકને ૧,૩૫,૮૦૦ અને ૭,૦૦૦ માનસીક ત્રાસના તેમજ ૩૦૦૦ ખર્ચના આમ કુલ મળીને ૧,૪૫,૮૦૦ સાત ટકા વ્યાજ સાથે તા. ૫/૪/૨૦૨૧ થી આપવાનો હુકમ કરેલ છે .






Latest News