મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના  ખાખરાળા-જેપુર વચ્ચે ટ્રક ટ્રેલરના ચાલકે બડાદોસ્ત વાહનને હડફેટે લેતા વૃદ્ધનું મોત


SHARE











મોરબીના  ખાખરાળા-જેપુર વચ્ચે ટ્રક ટ્રેલરના ચાલકે બડાદોસ્ત વાહનને હડફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા અને જેપુર ગામની વચ્ચે પેટ્રોલ પંપ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે બડાદોસ્ત વાહનને હડફેટે લીધું હતું જેથી તે વાહનમાં બેઠેલા વૃદ્ધને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને વાહનના ડ્રાઇવરને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને હાલમાં મૃતકના દીકરાએ ટ્રકના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મૂજબ મૂળ ઓડિસાના રહેવાસી અને હાલમાં બરવાળા ગામ પાસે એન.એસ. એન્જિનિયરિંગ પ્લાસ્ટિક કારખાનામાં રહેતા અને કામ કરતા જ્યોતીન્દ્ર વિશ્વનાથ નાયક જાતે ખંડાયત (૩૨)એ ટ્રક ટેલર નંબર જીજે ૧૬ એડબલ્યુ ૯૮૫૯ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા અને જેપુર ગામ વચ્ચે પેટ્રોલ પંપ પાસેથી ફરિયાદીના પિતા વિશ્વનાથ શ્યામસુંદર નાયક (૬૦) તેના વાહનમાં તેઓના અશોક લેલન કંપનીનું બડાદોસ્ત વાહન નંબર જીજે ૩૬ વી ૨૮૦૬ વાહનમાં ડ્રાઇવર સુખરાજ સાથે મોરબી થી બરવાળા તરફ જતાં હતા ત્યારે ખાખરાળા અને જેપુર ગામ વચ્ચે ટ્રક ટ્રેલરના ચાલકે રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવીને બડા દોસ્ત વાહનને હડફેટે લીધું હતું અને અકસ્માત સર્જ્યો હતો જે બનાવવામાં ફરિયાદીના પિતા વિશ્વનાથ શ્યામસુંદર નાયક (૬૦)ને ગંભીર ઈજા થઇ હોવાથી તેનું મોત નીપજયું હતુ અને તેના ડ્રાઇવર સુખરાજને ઈજાઓ થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો હાલમાં અકસ્માતના આ બનાવમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News