મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા હળવદમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 23 અને તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 25 મીએ ચૂંટણી મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના લોકોને શિવાની દીદીના વક્તવ્યનો લાભ લેવા આહવાન


SHARE











મોરબી જિલ્લાના લોકોને શિવાની દીદીના વક્તવ્યનો લાભ લેવા આહવાન

મોરબી તાલુકાનાં રાજપર ગામે  આગામી તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને મોરબીના કયાજી પ્લોટ વિસ્તારમાં આવેલ બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં મોરબી જિલ્લાના લોકોને આ વક્તવ્યનો લાભ લેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે

આગામી તા ૨૧ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬:૦૦ થી ૮:૩૦ સુધી રાજપર ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આંતરરાષ્ટ્રીય વક્તા બી.કે. શિવાની દીદી હાજર રહેવાના છે અને “શાંત મનખુશહાલ જીવન” વિષય પર તેઓ વક્તવ્ય આપશે. જેનો મોરબી જિલ્લાના ૧૫ વર્ષથી ઉપરના ભાઈઓ તેમજ બહેનો ભાગ લઈ શકશે અને આ કાર્યક્રમ રાજપર ગામે આવેલ પટેલ વાડીમાં સાંજે ૬ થી ૮ કલાક દરમ્યાન યોજાશે તેના પાસ લેવા અનિવાર્ય છે જે પાસ સવારે ૮ થી ૧૧ અને સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન મેળવી શકાશે. અને તા ૨૩ સપ્ટેમ્બરથી રાજયોગ શિબિરમાં શરૂ થઇ રહી છે જેમાં ભાગ લેવા માટે પણ સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી ચંદ્રીકાબેનએ જણાવાયું છે.






Latest News