માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં સિદ્ધિવિનાયક કા રાજા, પટેલ ગ્રુપ સહિતના ગણેશોત્સવનું આયોજન


SHARE











મોરબીમાં સિદ્ધિવિનાયક કા રાજા, પટેલ ગ્રુપ સહિતના ગણેશોત્સવનું આયોજન

મોરબીમાં લિલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામોજી ફાર્મ ખાતે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સિદ્ધિવિનાયક કા રાજા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને અને આગામી તા ૧૯ ના દિવસે સ્થાપના કરવામાં આવશે અને દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરાયું છે અને વિસર્જન તા ૨૮ ના રોજ સાંજે કરવામાં આવશે જેથી મોરબીના લોકોને ગણેશજીના દર્શન અને પૂજનનો લાભ લેવા માટે ગણેશ મહોત્સવના આયોજક અરવિંદભાઈ બારૈયાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

મોરબીમાં લિલાપર કેનાલ રોડ ઉપર સર્જનમ ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે ગણેશજીની સ્થાપના તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે અને દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરાયું છે ત્યાર બાદ તા ૨૮ ના રોજ વિસર્જન કરવામાં આવશે જેથી દાદાના દર્શન અને પૂજનનો લાભ લેવા માટે ગણેશ મહોત્સવના આયોજકો તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News