મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કેનાલમાં પાણી છોડ્યું: ૨૦ ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે


SHARE











મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કેનાલમાં પાણી છોડ્યું: ૨૦ ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે

ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ ખેંચાયો છે જેથી કરીને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને નુકસાન થાય તેવી ભીતિ છે જેથી કરીને ખેડૂતોના પાકને બચાવી શકાય તે માટે નર્મદાની કેનાલો મારફતે કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે તેવી જ રીતે મોરબી નજીકના સિંચાઈનું પાણી પૂરું પડતાં મચ્છુ-૨ ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોને આ કેનાલ મારફતે વરસાદ ન આવે તો તેના પાકને બચાવવા માટે બે પાણ પાણી આપવામાં આવશે

મોરબી જિલ્લામાં ૧૦ ડેમ આવે છે જે પૈકીના મચ્છુ-૧ મચ્છુ ડેમમચ્છુ-૨ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવતું હોય છે જો કેચાલુ વર્ષે ચોમાસામાં શરૂઆતમાં મેઘ મહેર થઈ હતી પરંતુ ત્યારબાદ છેલ્લા ઘણા દિવસોથી વરસાદનું એક ટીપું પડ્યું નથી જેથી કરીને ખેડૂતોના ખેતરોની અંદર કપાસ મગફળી સહિતના જે પાકનું વાવેતર કરવામાં આવ્યું છે આ પાક બચાવવા મુશ્કેલ બની ગયા છે અને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને સિંચાઈનું પાણી આપવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી જેથી કરીને મચ્છુ-૨ ની કેનાલ મારફતે કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને બચાવવા પાણી છોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને મચ્છુ-૨ ડેમમાંથી તા ૧૧ ના રોજ રાતના સમયથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે જેના થકી સિંચાઇ કરીને કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો સિંચાઈ માટેનું પાણી મેળવીને તેના ખેતરમાં ઊભા પાકને બચાવી શકશે સિંચાઈ વિભાગના અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ૩૦૦ એમસીએફટી પાણી કેનાલમાં સિંચાઇ માટે છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને વરસાદ ન આવે તો પણ કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને કેનાલ મારફતે સિંચાઈ માટેનું બે પાણ પાણી મળી રહેશે હાલમાં મચ્છુ-૨ ડેમમાંથી સિંચાઇ માટે જે પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે તેનાથી મોરબી તાલુકાનાં ૨૦ ગામના ખેડૂતોને લાભ થશે અને તેઓ પોતાના ખેતરોમાં ઊભા પાકને બચાવી શકશે






Latest News