મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદના પંચાસરી વાડી વિસ્તાર મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની નિમણુંક કરાશે


SHARE







હળવદના પંચાસરી વાડી વિસ્તાર મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની નિમણુંક કરાશે

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના પંચાસરી વાડી વિસ્તાર મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક તરીકે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ અરજી ફોર્મ રૂ. ૫(પાંચ)ની ફી ચુકવી તારીખ ૨૫ ઓગસ્ટ સુધીમાં રૂબરૂ કચેરીના કામકાજના સમયે ભરવાનું રહેશે.  

સંચાલક તરીકે મહિલા તથા અનુભવી ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે ઉપરાંત પુરૂષ પણ  અરજી કરી શકશે. ઉમેદવારની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ, તેમજ ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઇએ. જો આ કેંદ્રના વિસ્તારમાં એસ. એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે. સંચાલક માટે  માત્ર સ્થાનિક ઉમેદવાર જ ઉમેદવારી કરી શકશે. જ્યારે પંચાયતમાં ચૂંટાયેલા હોદો ધરાવતા હોય કે રાજય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હેઠળ નોકરી કરતા હોય અથવા માનદ્ વેતન મેળવતા હોય કે સસ્તા અનાજની દુકાન ધારણ કરતા હોય તેવી વ્યકિત, અનાજ દળવાની ઘંટી ચલાવતી વ્યકિત, હોમગાર્ડ ગૃહ રક્ષણદળના સભ્ય, અગાઉ સરકારી સેવામાંથી નિવૃત થયેલ કે બરતરફ થયેલ વ્યકિત, રાજય સરકાર કે કેન્દ્ર સરકારમાં તેમજ રાજય સરકાર કે કેન્દ્ર સરકારના તાબાના જાહેર સાહસ હેઠળ કે પંચાયત હેઠળ કે આંગણવાડીની નોકરી કરતા કર્મચારી અગર તો કર્મચારીઓના પતિ, પત્ની પુત્ર/પુત્રી કે જે આશ્રિત હોય તે, શાકભાજી મરી મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતા હોય તે વ્યકિતએ તેમજ કોઈ પણ જગ્યાએ માનદ વેતન મેળવતી વ્યક્તિ, વકીલાતનો વ્યવસાય કરતી વ્યક્તિ  અરજી કરી શકશે નહી. અને અરજી ફોર્મ સાથે સ્કુલ લીવીંગ સર્ટી, માર્કશીટ, રહેણાંકનો પુરાવો, અનુભવનું પ્રમાણપત્ર તથા અન્ય માન્ય સર્ટી પ્રમાણિત નકલો જોડવાની રહેશે અને કોઈ ઉમેદવારને લેખીતમાં ઈન્ટરવ્યુ કોલ મળ્યો હોય તેવા તમામ ઉમેદવાર જણાવેલ તારીખે અને સમયે ઈન્ટરવ્યુમાં સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. અને હળવદ મામલતદાર કચેરીએથી નિયત નમુનાનું ફોર્મ મેળવી ભરેલ અરજી ફોર્મ તા.૨૫/૦૮/૨૦૨૩ સુધીમાં મોકલી આપવાનું રહેશે.






Latest News