ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં રેશનિગના દુકાનદારોના પડતર પ્રશ્નો ન ઉકેલતા રણશિંગુ ફૂક્યું


SHARE







ટંકારા તાલુકામાં રેશનિગના દુકાનદારોના પડતર પ્રશ્નો ન ઉકેલતા રણશિંગુ ફૂક્યું

ટંકારા તાલુકાના એફપીએસ એશો. દ્વારા ટંકારા મામલતદાર કચેરી ખાતે મામલતદાર કેતન સખિયાને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને આગામી ૧ સપ્ટેમ્બરથી રાશન કાર્ડ ધારકોને મળતો જથ્થો નહી ઉપાડે કે ઉતારે તેની જાણ કરવામાં આવેલ છે ત્યારે જીલ્લા સંગઠનના પ્રમુખ પંકજભાઈ સબાપરા, ટંકારા એશો. પ્રમુખ ધીરૂભાઈ ચાવડા, મહામંત્રી ભુપતસિંહ ઝાલા, નંદલાલભાઈ પરમાર, ચંદ્રકાંત પટેલ, કાનાભાઈ જીવાણી, મોહનભાઇ પારીયા, રવિન્દ્ર ભાડજા, ભરત પાટડીયા, સહિતના સંચાલકો હાજર રહ્યા હતા અને જણાવ્યું હતું કે કમીશન પેટે ૨૦ હજાર તથા એક કિલો ગ્રામ ઘટ આપવી સહિતના મુદા ઉપર રાજ્ય સંગઠનની બેઠકમા સર્વનુમતે નિર્ણય કર્યો છે કે, પડતર પ્રશ્નો ઉકેલાતા નથી જેથી આગામી ૧ સપ્ટેમ્બરે સસ્તા અનાજની દુકાનો રાશન જથ્થો ઉપાડશે નહીં અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનામાં સાતમ આઠમના તહેવારો આવતા હોય અને રસોઈ માટે વધારે પણ જથ્થો મળતો હોય જરૂરીયાતમંદ પરિવારોને હેરાન પરેશાન થવાની ભીતી સેવાઈ રહી છે જેથી સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લઈ તે જરૂરી છે






Latest News