મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર પાસે ડ્રેગન ફ્રૂટની વાડીમાં ઘૂસી ગયેલા બે શખ્સોને માર માર્યો


SHARE







ટંકારાના સજનપર પાસે ડ્રેગન ફ્રૂટની વાડીમાં ઘૂસી ગયેલા બે શખ્સોને માર માર્યો

મોરબીના સજનપરથી ઘુનડા તરફના રોડ ઉપર આવેલ ડ્રેગન ફુટની વાડીમાં બે શખ્સો ઘૂસી ગયા હતા જેથી કરીને ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો અને ત્યારે વાડીમાં ઘૂસી ગયેલા બંને શખ્સોને માર મારવામાં આવતા ઈજા પામેલા બને શખ્સોને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સજનપર ઘુનડા તરફના રોડ ઉપર આવેલ ડ્રેગન ફુટની વાડીમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં સાહિલ મુકેશભાઈ જાદવ (૨૦) સહિત બે વ્યક્તિને ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી પ્રાથમિક તપાસ વી.કે. ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે વધુમાં પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ઇજા પામેલા બંને વ્યક્તિઓ ડ્રેગન ફુટની વાડીમાં કોઈને પૂછ્યા વગર ઘૂસી ગયા હતા જેથી કરીને ત્યાં બોલાચાલી અને ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો.

ઝેરી અસર

ટંકારા તાલુકાના હીરાપર ગામે રહેતા સલીમભાઈ મનુભાઈ બુડેવાડીયા (૨૨) નામનો યુવાન ખેતરમાં કપાસમાં દવા છાંટવાનું કામ કરી રહ્યો હતો ત્યારે કપાસમાં દવા છાંટતા સમયે તેને ઝેરી અસર થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ટંકારા તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે.






Latest News