હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડે યુવાને અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું


SHARE











મોરબીના ઘુંટુ રોડે હરિઓમ પાર્કમાં યુવાને અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું


મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત લીધો હતો જેથી કરીને તેના પરિવારજનો તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ કોરલ કારખાનામાં રહેતા નાથાલાલ ભગવાનજીભાઈ સીતાપરા (ઉમર ૪૨) નામના યુવાને મોરબી નજીકના મહેન્દ્રનગર ગામથી આગળ ઘુંટુ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં પોતાના રહેણાંક મકાનની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને રાજુભાઈ મગનભાઈ સુરેલા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ સંદર્ભે રાજુભાઈ સુરેલા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક તેમના કૌટુંબિક જમાઈ થાય છે અને તે પોતાના પત્ની અને બે સંતાનોની સાથે કોરલ કારખાના ખાતે રહીને ત્યાં કામ કરતા હતા જો કે, તેમણે ઘૂટું રોડ ઉપર હરિઓમ પાર્કમાં મકાન લીધું હતું તે મકાનમાં તે એકલા હતા ત્યારે તેમણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ પાનેલી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ભરત પરસોતમ કનજારિયા (ઉમર ૨૩) અને પુરષોત્તમ દેવજીભાઈ કનજારિયા (ઉમર ૫૭) ને ઇજાઓ પહોંચી હતી જેથી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.જેથી સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ સુત્રો દ્વારા મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હોય તાલુકા પોલીસ મેથકના એમ.જે.કહાંગરા દ્વારા આ બાબતે નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

લીંબડી પોલીસના ગુનામાં ફરાર આરોપી મોરબીમાંથી મળ્યો

મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે લીંબડીના પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આઈપીસી કલમ ૩૭૬ (બળાત્કાર) નો આરોપી મોરબી હોવાની બાતમીના આધારે લીંબડી પોલીસ મેથકના હેડ કોન્સ્ટેબલ એસ.પી.માંન્જલિયા મોરબી આવ્યા હતા અને સ્થાનિક પોલીસને સાથે રાખીને મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટુ રોડ ઉપર સર્ચ કરવામાં આવતા ત્યાં કારખાનામાંથી ગુનામાં ફરાર બળદેવ નારણભાઇ પરમાર હાલ રહે.જુના ઘુંટુ રોડ મોરબી-૨ વાળો મળી આવ્યો હોય તેને હસ્તગત કરી તપાસના કામે લીંબડી લઈ જવામાં આવ્યો હતો.






Latest News