મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં છેતરામણી વાત કર્યા બાદ વીમા કંપનીએ હાથ ઊંચા કરી દેતા ગ્રાહક સુરક્ષા મંડળની દરમિયાનગીરીથી વ્યાજ સહિત પૈસા પરત મળ્યા


SHARE











મોરબીમાં છેતરામણી વાત કર્યા બાદ વીમા કંપનીએ હાથ ઊંચા કરી દેતા ગ્રાહક સુરક્ષા મંડળની દરમિયાનગીરીથી વ્યાજ સહિત પૈસા પરત મળ્યા

મોરબીમાં યુવાનને વીમા કંપનીના એજન્ટે જણાવેલ વાત મુજબ વિમો લીધો હતો અને બાદમાં કરેલી વાતથી વીમા કંપની ફરી ગઈ હતી અને વધુ પ્રીમિયમ ચૂકવવા માટે વાત કરી હતી જેથી પોલીસી બંધ કરાવવા માટે યુવાને વાત કરતા તે બાબતે પણ વીમા કંપની હાથ ઊંચા કરતી હોય યુવાને ગ્રાહક સુરક્ષા મંડળની લાલજીભાઇ મહેતાનો આશરો લીધો હતો.જેનો કેસ ચાલી જતા ગ્રાહકને વ્યાજ સહિત રકમ ચૂકવવા ગ્રાહક તકરાર નિવારણ પંચે હુકમ કર્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના વતની કમલેશભાઇ દુર્લભજીભાઇ વીડજા (બહુચર ડેરી વાળા) એ એ.બી.ઇન્સ્યોરન્સ બ્રોકર પ્રા.લી. બી.એમ.એ. વેલ્થ કિએરર્સ લી. એકસાઇડ લાઇફ ઇન્સ્યોરન્સમાં વીમો ઉતરાવેલ વિમા કંપનીએ વિમો આપવાની ના પાડતા ગ્રાહકે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેઇસ દાખલ કરેલ ગ્રાહકની પાસેથી વીમા કંપનીએ એવું કહેલ કે દર વર્ષે પચીસ હજાર દશ વર્ષ સુધી ભરસો તો સારો લાભ મળશે અને ચાર વર્ષનું પ્રિમીયમ રૂા. ૧,૦૦,૦૦૦ ભરસો તો ત્રીજા વર્ષે તમારા બાળકની ફી વીમા કંપની તરફથી આપવામાં આવશે.જેથી ગ્રાહક કમલેશ દુર્લભજીભાઇએ એકી સાથે ચાર વર્ષનું પ્રિમિયમ રૂા.એક લાખ ભરીને પોલીસી લીધી હતી.પરંતુ દર વર્ષે પચીસ હજારને બદલે વીમા કંપનીએ હવે દર વર્ષે એક લાખ ભરો તેમ જણાવ્યું હતુ.જેથી ગ્રાહકે વીમા પોલીસી રદ કરવાનું કહી રકમ પરત આપવા કહ્યુ પણ વીમા કંપનીએ પૈસા પરત આપવાની ના પાડતા ગ્રાહક તકરાર નિવારણ પંચમાં કેઇસ ચાલી જતા વીમા કંપનીઓને ગ્રાહકને રૂા.૮૦,૦૦૦ (એસી હજાર) ૭ ટકાના વ્યાજ સાથે કેઇસ દાખલ થયા તા.૧૭-૧૨-૨૦ થી તથા વીસ હજાર અન્ય ખર્ચ પેટેના ચુકવવાનો ગ્રાહક અદાલતે હુકમ કર્યો છે.કોઇપણ ગ્રાહકને અન્યાય થાય કે છેતરપીંડીનો ભોગ બને તો મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઇ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઇ ભટ્ટ (મો.૯૩૭૭૪ ૯૯૧૮૫) અથવા મંત્રી રામ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો કેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News