મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મુંબઈ-નાગપુરથી પરિવારને ટપાલ લખીને મોરબીમાંથી ગુમ થયેલ યુવાને માનસિક થકી ગયો હોવાની જાણ કરી


SHARE







મુંબઈ-નાગપુરથી પરિવારને ટપાલ લખીને મોરબીમાંથી ગુમ થયેલ યુવાને માનસિક થકી ગયો હોવાની જાણ કરી

મોરબીના ભરતનગર ગામનો અને હાલ મોરબીના કેનાલ રોડ રામકો બંગલો નજીક આવેલ વૃંદાવન સોસાયટીમાં રહીને સિરામીકમાં કોન્ટ્રાકટ રાખતો પટેલ યુવાન છેલ્લા વીસેક દિવસથી ગુમ થઈ ગયો હોય તેના પિતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી પોલીસ દ્રારા ગુમસુધા નોંધ દાખલ કરીને ગુમ થયેલા યુવાનને શોધવા તપાસ હાથ ધરવામાં આવેલ છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામે રહેતા ઇશ્વરભાઇ બચુભાઈ ફેફર પટેલ (ઉમર ૫૫) નામના આધેડે એ ડિવિઝન પોલીસ મથક ખાતે આવીને જાહેર કર્યું હતું કે તેમનો પુત્ર આનંદ ઈશ્વરભાઈ ફેફર પટેલ (ઉમર ૩૦) ધંધો વેપાર હાલ રહે.સાંકેત એપાર્ટમેન્ટ માધવ વૃંદાવન સોસાયટી રામકો બંગલો પાસે કેનાલ રોડ મોરબી મૂળ ભરતનગર વાળો ગત તા.૩૦-૭ ના સવારે આઠેક વાગ્યે રાબેતા મુજબ ઘરેથી કામે જાઉ છુ તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં ગુમ થઈ ગયેલ છે.દરમિયાનમાં તેની મુંબઈ ખાતેથી અને નાગપુર ખાતેથી એમ બે ટપાલો મળેલ છે જેમાં તેણે જણાવેલ છે કે તે "માનસિક રીતે થાકી ગયો હોવાના લીધે તે ઘર છોડીને ચાલ્યો ગયો છે." હાલ ગુમ થયેલ આનંદ ફેફરને શોધવા માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ગુમ સુધા નોંધ દાખલ કરવામાં આવી છે.જેની આગળની તપાસ જે.એ.ઝાલા ચલાવી રહ્યા છે

ઇજાગ્રત યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના વીસીપરા મદીના સોસાયટી પાસે આવેલ વાડી વિસ્તારમાં રહેતા જાનમામદભાઈ જામ નામના ૨૦ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા મોરબીની સામાકાંઠાની ખાનગી હોસ્પિટલે બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં બાઇક લઈને માળિયા બાજુથી પરત મોરબી તરફ આવી રહેલા જાનમામદભાઇ જામ નામના બાઈક સવારને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત જાનમામદભાઈને મોરબીના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.ઉપરોક્ત બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરૂને તે અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News