મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાંથી બાઇક ચોર પકડાયો


SHARE







મોરબીમાંથી બાઇક ચોર પકડાયો

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ બાઇક ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ કરી રહ્યો હતો ત્યારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા અને બાતમીદારોના આધારે હાલમાં મોરબી શહેરમાંથી ગત જાન્યુઆરી માહિનામાં નાની કેનાલ રોડ ઉપરથી બાઈકની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે આરોપી વિક્રમસિંહ જીવુભા ઝાલા (૪૦) રહે.પંચાસર તાલુકો મોરબી વાળની ધરપકડ કરેલ છે અને તેને બાઇકની ચોરી કરેલ હોવાની પોલીસને કબુલાત આપી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

વાહન અકસ્માત
મોરબી જિલ્લાના માળીયા મીંયાણા ખાતે રહેતા ઈકબાલ કરીમભાઇ માલાણી નામનો ૨૨ વર્ષનો યુવાન મોરબીના રેલ્વે સ્ટેશન પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં ત્યાં તેનું બાઈક સ્લીપ થઈ જતા રેલ્વે સ્ટેશન પાસેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો.

પિતા-પુત્રને ઈજા
મોરબીના નાનીવાવડી ગામે રહેતા કેતનભાઇ જયંતીભાઈ બસીયા (ઉમર ૩૩) અને તેમના પુત્ર યુગ કેતનભાઈ (ઉંમર ૭) ને ઇજાઓ પહોંચતા બંનેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓ રાત્રિના સમયે કબીર આશ્રમ પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે તેમનું બાઈક ઢોર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બંનેને ઈજા થતાં સારવાર માટે સિવિલે લવાયા હતા અને એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News