મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં ટ્રાફિક સિગ્નલો મુકવાની શહેરીજનોની માંગ


SHARE











મોરબી શહેરમાં ટ્રાફિક સિગ્નલો મુકવાની શહેરીજનોની માંગ

મોરબી શહેર દિન પ્રતિદિન વિકાસ કરી રહ્યું છે ત્યારે શહેરમાં ટ્રાફિક સમસ્યા એ આમ બાબત બની ગઈ છે.નવા બનતા બીલ્ડીંગોમાં પાર્કીંગ-માર્જીન છોડયા વિના જ સો ટકા બાંધકામ કરાતા હોય અને જેની જવાબદારી છે તે નગર પાલીકા દ્રારા છેલ્લા વર્ષોમાં અસરકારક કામગીરી ન કરાતી હોવાના લીધે આજે ટ્રાફિક પોલીસ ઉપર પણ કામનું ભારણ વધી રહ્યું છે માટે ટ્રાફિક પોલીસનું કામનું ભારણ ઓછું કરવા અને શહેરીજનોમાં પણ ટ્રાફીક અંગે જાગૃતતા આવે તે માટે શહેર તેમજ આસપાસના હાઇવે નજીક ટ્રાફીક સિગ્નલો મુકવા જરૂરી છે.

મોરબી શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક સિગ્નલો મુકવાની પ્રબુધ્ધ નાગરીકો દ્રારા માંગ કરવામાં આવેલ છે.મોરબી નગરપાલિકા દ્રારા લાખો-કરોડોનો ખર્ચ કરવા છતાં નાગરીકોને પાયાની સવલતો મળતી નથી કે હકીકત છે.શહેરમાં ચાર રસ્તાઓ ઉપર કયાંય ટ્રાફીક સિગ્નલો કે રોડ-રસ્તો કઇ તરફ જાઇ છે તે દર્શાવતા સાઇન બોર્ડ લગાવાયા નથી અને સંસ્થાઓએ લગાવી આપેલ આવા બોર્ડની જાળવણીના અભાવે અતોપતો જડતો નથી. લોકહિત ખાતર અધીકારીઓ તેમજ પદાધીકારીઓ દ્રારા આ બાબતે યોગ્ય કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.જોકે નજીવા વરસાદમાં જ મોરબીના સીટી વિસ્તારના રોડ-રસ્તાઓનો કચ્ચરઘાણ નીકળી ગયો છે તે રીતે જ હાઈવેની હાલત પણ તેવી જ છે તે ઉપરાંત નવા બનેલા માળીયા ફાટક ઓવરબ્રિજ અને હાઇવે ઉપરના સર્વિસ રોડમાં પણ ભારે મોટા ગાબડા પડી ગયા છે ત્યારે આ બાબતને લઇને તંત્રને શર્મ આવતી હોય કે ન આવતી હોય પણ માંગ કરવામાં લોકો શર્મ અનુભવી રહ્યા છેકે જયાં રોડ-રસ્તાના જ ઠેકાણા નથી ત્યાં ટ્રાફિક સિગ્નલ કે સાઇન બોર્ડની માંગ કયાં કરવી..! વરસાદ બાદ હવે કેટલા સમયમાં નવા રોડ બને છે અને કયારે ટ્રાફિક સિગ્નલો લાગે છે તે જોવું રહ્યુ.અરસપરસ ખો દેવાની વૃતિને લીધે જ આજે મોરબી રહેવા યોગ્ય નથી રહ્યુ નથી તે હકીકત છે.
 




Latest News