મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામેથી ગુમ થયેલા યુવાનની નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી


SHARE











મોરબીના કોયલી ગામેથી ગુમ થયેલા યુવાનની નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી

મોરબીના કોયલી કાસા ગામેથી યુવાન ગુમા થયો હતો જેને પોલીસ અને પરિવારજનોએ શોધી રહ્યા હતા દરમ્યાન ગામ પાસે આવેલ નદી નજીક બાવળની જાળીમાંથી તેની કોહવાય ગયેલ હાલતમાં લાશ મળી છે જેથી કરીને તાલુકા પોલીસની ટિમ સ્થળ ઉપર પહોચી હતી અને તેના મૃતદેહને હાલમાં ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને બનવાની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

જાણવા મળતી મહિતી મુજબ મોરબીના કોયલી કાસા ગામે રહેતો રવિભાઈ વિરાભાઇ કળોતરા (૧૯)  જે માલઢોર ચરાવવા માટે ગયો હતો અને ત્યાર બાદ તે ગુમ થયો હતો જેથી તેના પરિવારજનો શોધતા હતા અને બનાવની મોરબી તાલુકા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી દરમ્યાન આજે ગામ પાસે આવેલ ડેમી નદીના કાંઠે બાવળની જાળીમાં લાશ પડી હોવાની મુકેશભાઇ બચુભાઈ ડાંગરે જાણ કરી હતી જેથી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ સ્થળ ઉપર પહોચ્યા હતા અને યુવાનની લાશ કોહવાય ગયેલ હોવાથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે વધુમાં જે.પી. પટેલ પાસેથી મળતી માહિતી મુજબ યુવાન તેના મિત્રો સાથે અવાર નવાર નદીમાં ન્હાવા માટે જતો હતો અને તેની માનસિક બીમારીની દવા પણ ચાલી રહી હતી તેવામાં તે એકલો ન્હાવા માટે ગયો હતો ત્યારે પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હોવાનું હાલમાં દેખાઈ રહ્યું છે જો કે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે






Latest News