મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટમાં ત્રણ વ્યક્તિને હોકી વડે માર મારનારા બે સગા ભાઈની ધરપકડ


SHARE







મોરબીના કાલિકા પ્લોટમાં ત્રણ વ્યક્તિને હોકી વડે માર મારનારા બે સગા ભાઈની ધરપકડ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાન સહિતના ત્રણ વ્યક્તિઓને બેફામ ગાળો આપી હતી અને હોકી વડે માર માર્યો હતો જેથી કરીને ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાન દ્વારા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં કાલિકા પ્લોટમાં રહેતા લોપારામ કાનારામ મીના જાતે ઠાકૂર (૨૮)એ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સત્યદિપસિંહ દિલીપસિંહ જાડેજા અને જયવીરસિંહ દિલીપસિંહ જાડેજા રહે. બંને કાલિકા પ્લોટ શેરી નં-૧ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેના ઘર પાસે આવીને બંને આરોપીઓ બેફામ ગાળો બોલતા હતા અને ત્યારે તે બહાર આવતા તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ સત્યદીપસિંહે હોકી વડે તેને ડાબા પગમાં સાથળના ભાગે માર મારીને ઈજા કરી હતી તેમજ પાર્થ તેરૈયા અને સિદ્ધાર્થ લોહારને પણ હોકી વડે અને ઢીકા પાટુનો માર મારી ગાળો આપી હતી અને બોલાચાલી કરી હતી જેની ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં આરોપી સત્યદિપસિંહ દિલીપસિંહ જાડેજા (૨૭) અને જયવીરસિંહ દિલીપસિંહ જાડેજા (૨૨) રહે. બંને મોમાઈ કૃપા કાલિકા પ્લોટ શેરી નં-૧ વાળાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.એ. ઝાલા દ્વારા ધરપકડ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
રાજકોટના રહેવાસી આયુષ સંજયભાઈ મગથરીયા (૨૧) મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ શનાળા ગામ પાસે શક્તિ માતાજીના મંદિર નજીક હતો તારે અકસ્માતના બનાવમાં તેને ઇજા થયે હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News