વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી ક્રિકેટ રમવા ગયેલા બે સગીર પાણીમાં ડૂબી જતાં મોત: ડેડબોડી ફિરેન્સિક પીએમમાં ખસેડાઇ


SHARE











મોરબીમાં ઘરેથી ક્રિકેટ રમવા ગયેલા બે સગીર પાણીમાં ડૂબી જતાં મોત: ડેડબોડી ફિરેન્સિક પીએમમાં ખસેડાઇ

મોરબીમાં સામાકાંઠે વિસ્તારમાં નજરબાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ પાણીના ખાડામાં બે સગીર ડૂબી ગયા હતા જેથી કરીને આ બનાવની પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમે સ્થળ ઉપર જઈને બંને સગીરના મોત થયા હતા જેથી કરીને તે બંને સગીરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં નજરબાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ પાણીના ખાડામાં બે સગીર ડૂબ્યા હોવાની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી કરીને દેવેન્દ્રસિંહ સહિતની ટિમ ત્યાં પહોચી હતી અને ફાયર ટીમે દ્વારા પાણીમાં ડૂબી ગયેલા સગીરોને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને ફાયરની ટીમે પાણીમાંથી સાહિલ સંજયભાઈ શેખાણી (૧૭) અને જેશીંગ પ્રફુલભાઈ ધોળકીયા (૧૪) રહે. બંને વીસીપરા મોરબી વાળાની બોડીને પાણીમાંથી કાઢી હતી અને બંનેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે વધુમાં આ કેસની તપાસ કરી રહેલા હિતેશભાઇ મકવાણા  સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, બંને સગીર મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ રમવા માટે રવિવારે ગયા હતા ત્યાર બાદ ત્યાંથી ન્હાવા માટે તેઓ ગયા હતા અને ત્યારે કોઈ કારણોસર તે બંને પાણીમાં ડૂબી જતાં તે બંનેના મોત નિપજ્યાં હતા અને તેની ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે






Latest News