મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ કેસમાંથી સ્પેશિયલ સરકારી વકીલ એસ.કે.વોરાએ મૂક્યું રાજીનામૂં


SHARE







મોરબી ઝૂલતા પુલ કેસમાંથી સ્પેશિયલ સરકારી વકીલ એસ.કે.વોરાએ મૂક્યું રાજીનામૂં

મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જે દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા અને આ કેસમાં સરકારે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એસ. કે. વોરાની નિમણૂક કરી હતી જો કે, હાલમાં મળી રહેલી માહિતી મુજબ સ્પેશિયલ પીપી એટ્લે કે સરકારી વકીલ એસ.કે.વોરાએ રાજીનામૂં આપી દીધું છે.
મોરબીમાં તા.૩૦/૮/૨૦૨૨ ના રોજ ઝૂલતો પુલ તૂટવાની ઘટના બની હતી. જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાઈ હતી અને આ કેસમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને તે પૈકીનાં પાંચ આરોપી હાલમાં જમીન મુક્ત થયા છે અને પાંચ આરોપી હજુ પણ જેલમાં જ છે જો કે, આ કેસ માટે સરકારે ગત ૧૦/૧૨/૨૦૨૨ ના રોજ સ્પેશિયલ પીપીની નિમણૂક કરી હતી જો કે, વિકટ વડાપ્રધાન સુધી તાજેતરમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસમાં સ્પેશિયલ પીપી મુદતે હાજર રહેતા નહીં તેવામાં કામનું ભારણ વધારે હોવાનું કારણ આગળ ધરીને હાલમાં સ્પેશિયલ પીપી એસ.કે. વોરાએ રાજીનામું આપી દીધેલ છે જે હાલમાં ચર્ચાનું વિષય બનેલ છે






Latest News