ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે
Breaking news
Morbi Today

મોરબીમાં કોવિડમાં લીધેલ સારવારનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો ચુકાદો


SHARE











મોરબીમાં કોવિડમાં લીધેલ સારવારનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો ચુકાદો

મોરબીના વતની સલીમભાઇ ગનીભાઈ છીછોદરાના પત્ની રીઝવાનાબેન કોવીડ સમયે મોરબીમા માધવ હોસ્પીટલમાં દાખલ થયેલ હતા અને તેમની પાસે આદિત્ય બીરલા હેલ્થ ઇન્સ્યુરન્સ કંપનીની હેલ્થ પોલીસી હતી તેના સારવારનો ખર્ચ ૫૦,૦૦૦ આવેલ હતો જેના તમામ બીલો તથા આધાર વીમા કંપનીને આપી દધેલ હતા અને સલીમભાઇ રેગ્યુલર પ્રીમીયમ ભરતાં હતા છતા વીમા કંપનીએ અયોગ્ય રીતે હેલ્થ વીમા નામંજુર કરેલ હતો.

જેથી તેઓમોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરેલ હતી જે કેઇસ ચાલી જતાં ગ્રાહક અદાલતે આદિત્ય બીરલા હેલ્થ ઇન્સ્યુરન્સ કંપનીને સલીમભાઇને ૫૦,૦૦૦ તથા ૭,૦૦૦ અન્ય ખર્ચ સાત ટકાના વ્યાજ તા.૧૨-૧૧-૨૧ થી ચુકવવાનો હુકમ કરેલ છે અને ગ્રાહકે પોતાના હક માટે લડવુ જોઇએ કોઇપણને અન્યાય થાય કે છેતરપીંડી થાય તો મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઇ ભટ્ટ (૯૩૨૭૪ ૯૯૧૮૫) મંત્રી રામભાઈ મહેતા (૯૯૦૪૦ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News