મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામે ૨૯ પ્લોટ અને ખુલ્લી જમીન ઉપર ૪,૨૫૦ ચો.મી.માં દબાણ: સિરામિક કારખાનેદારને નોટિસ


SHARE











મોરબીના આંદરણા ગામે ૨૯ પ્લોટ અને ખુલ્લી જમીન ઉપર ,૨૫૦ ચો.મી.માં દબાણ: સિરામિક કારખાનેદારને નોટિસ

મોરબી તાલુકાના અંદરણા ગામે નાયબ કલેકટર અને સબ ડીવીજનલ મેજી. મોરબીના હુકમ મુજબ સને ૨૦૧૭ માં સર્વે નંબર ૭૦/૨ પૈકી માં નવું ગામતળ નીમ કરવામાં આવેલ છે જેમાં તાલુકા વિકાસ અધિકારી મોરબી દ્વારા તા.૪-૧૦-૨૦૧૯ ના લે-આઉટ બનાવી ૭૪ પ્લોટો પાડેલ હતા અને SECC ડેટામાં નામ ધરાવતા PMAYના ૬ (છ) લાભાર્થીઓ જેમાં જામરિયા ચંદુલાલ ડાયાભાઇ, ચિરોડીયા જીલુભાઈ રેવાભાઈ, ચંદ્રેસરા અશોકભાઈ રામજીભાઈ, બાંભવા કાળુભાઈ વાસાભાઈ, પરમાર પ્રવિણભાઈ ભોજાભાઈ અને બાંભવા ધનીબેન દાનાભાઈને તા.૨૧-૯-૨૦૨૨ ની તાલુકા પંચાયત મોરબીની લેન્ડ કમિટીમાં પ્લોટો મંજુર કરવા માટે વંચાણે લીધા હતા.

જે પૈકી બાંભવા ધનીબેન દાનાભાઈ વડીલોપાર્જિત પ્લોટ ધરાવતા હોવાથી તેઓનો પ્લોટ નામંજુર કરી બાકીના ૫ (પાંચના પ્લોટ લેન્ડ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે અને તા.૧૮-૧૦-૨૦૨૨ ના રોજ તમામ લાભાર્થીઓને સનદ આપવામાં આવેલ તથા તા.૧૯-૧૨-૨૦૨૨ ના રોજ પ્લોટોના કબ્જા સોપેલ છે અને ચિરોડીયા જીલુભાઈ રેવાભાઈ PMAY યોજના અંતર્ગત પ્રથમ હપ્તાની રકમ ૩૦,૦૦૦ તા. ૧-૩-૨૦૨૩ના રોજ તથા બાકીના ૫ (પાંચ) લાભાર્થીઓને પ્રથમ હપ્તાની રકમ ૩૦,૦૦૦ તા.૨૪-૨-૨૦૨૩ ના રોજ ૬ (છ) એ લાર્ભાથીઓના બચત ખાતામાં જમા કરવામાં આવેલ છે ત્યારબાદ સ્થળ તપાસ કરાવતા જામરિયા ચંદુલાલ ડાયાભાઇ અને ચંદ્રેસરા અશોકભાઈ રામજીભાઈને ફાળવેલ પ્લોટ નંબર અનુક્રમે ૬૭ અને ૬૮ માં સેલોજા સેનેટરી વેર દ્વારા લેબર ક્વાર્ટર બનાવી દબાણ થયાનું ડીડીઓ દિગ્વિજયસિંહ ડી.જાડેજાના ધ્યાને આવ્યું હતુ જેથી ટીડીઓ દીપાબેન એચ. કોટકને ગ્રામ પંચાયત દ્વારા દબાણ દુર કરવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી ત્યારે ગ્રામ પંચાયત દ્વારા તા.૨૫-૭-૨૦૨૩ના રોજ સરપંચ આંદરણા દ્વારા સેલોજા સેનેટરી વેરને તાત્કાલિક ધોરણે દિવસ-૭ માં દબાણ દુર કરવા નોટીસ આપવામાં આવેલ છે. અને સેલોજા સેનેટરી વેર દ્વારા આ બંને પ્લોટો સિવાય અન્ય પ્લોટો મળી કુલ ૨૯ પ્લોટોમાં તથા ખુલ્લી જગ્યામાં અંદાજીત કુલ ૪,૨૫૦ ચો.મી.માં દબાણ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડેલ છે. જો સેલોજા સેનેટરી વેર દ્વારા આ દબાણ દુર કરવામાં નહી આવે તો નિયમોનુસાર કાર્યવાહી કરી દબાણ કરેલા પાકા બાંધકામો તોડી પાડવા સહિતના પગલા લેવામાં આવશે.






Latest News