મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

ઉજ્જૈનમાં કાલથી ત્રિદિવસીય રાષ્ટ્રીય સંશોધન પરિસંવાદ: મોરબીના જ્યોતિષાચાર્ય પણ હાજર રહેશે


SHARE







ઉજ્જૈનમાં કાલથી ત્રિદિવસીય રાષ્ટ્રીય સંશોધન પરિસંવાદ: મોરબીના જ્યોતિષાચાર્ય પણ હાજર રહેશે

ઉજ્જૈન બાબા મહાકાલના પ્રાંગણમાં ૨૬ જુલાઈથી રોજ ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંશોધન પરિસંવાદનું ઉદ્ઘાટન થશે. જેમાં મોરબીના જાણીતા જ્યોતિષાચાર્ય મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઈ પંડ્યાને આમંત્રણ આપવામાં આવ્યું છે

મહર્ષિ પાણિની સંસ્કૃત અને વૈદિક યુનિવર્સિટી, ઉજ્જૈન અને ઈન્ડિયન કાઉન્સિલ ઑફ ફિલોસોફિકલ રિસર્ચ, નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે, ૨૬ જુલાઈએ માધવ સેવા ન્યાસ સંકુલ મહાકાલ મંદિર પરિસરમાં સવારે ૧૧ વાગ્યાથી વૈદિક ભાષા દર્શન અને ઉચ્ચારણ વિજ્ઞાન પર ત્રિ-દિવસીય રાષ્ટ્રીય સંશોધન પરિસંવાદનો પ્રારંભ થશે. આ રિસર્ચ સેમિનારમાં સંસ્કૃત જગતના નામાંકિત વિદ્વાનો અને સંશોધકો ત્રણ દિવસ સુધી વૈદિક ભાષા ફિલસૂફી અને ઉચ્ચારણ વિજ્ઞાન વિષય પર સંશોધન પેપરનું મંથન કરશે અને વાંચન કરશે. આ સેમિનારમાં મોરબીના જાણીતા વિદ્વાન મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઈ પંડ્યાને પણ આમંત્રણ છે. જે મોરબી માટે ગૌરવ ની વાત છે. આ પહેલા પણ મહામહોપાધ્યાય  જીગ્નેશભાઈ પંડ્યા લખનઉ ખાતે જ્યોતિષ વિષયની પરિચર્ચાઓમાં ભાગ લીધો હતો આ સેમિનારના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે મધ્ય પ્રદેશ રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી ડો.મોહન યાદવ, સરસ્વતીતિથિ વિક્રમ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.  અતિથિ વિશેષ તરીકે અખિલેશ કુમાર પાંડે ડો.અશોક કડેલ, ડાયરેક્ટર હિન્દી ગ્રંથ અકાદમી ઉપસ્થિત રહેશે. ઉદ્ઘાટન સત્રના મુખ્ય વક્તા પ્રો. સચ્ચિદાનંદ મિશ્રા સેક્રેટરી, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફિલોસોફિકલ રિસર્ચ, નવી દિલ્હીની અધ્યક્ષતામાં વાઇસ ચાન્સેલર પ્રો. વિજય કુમાર સી.જી. પણ હાજરી આપશે.






Latest News