મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેરમાં શિક્ષક બદલી અરજીમાં પણ ભ્રષ્ટાચાર !


SHARE











મોરબી જિલ્લાના વાંકાનેરમાં શિક્ષક બદલી અરજીમાં પણ ભ્રષ્ટાચાર !

મોરબી જિલ્લાનું વાંકાનેર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો તેમ એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે હાલમાં મળતી વિગત મુજબ હાલ શિક્ષકોના બદલી કેમ્પ ચાલી રહ્યા છે અને ઓનલાઈન બદલી કેમ્પ પૂર્ણ થતાં જિલ્લાફેર બદલીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે અને જિલ્લાવાર સિનિયોરિટી લિસ્ટ બહાર પડેલ છે જેમાં ચોંકાવનારી માહિતી સામે આવેલ છે

રાજકોટ કોર્પોરેશનનું બદલીના સિનિયોરિટી લિસ્ટના પેજ નં-૧૩ ના પ્રાથમિક વિભાગની પ્રતીક્ષા યાદીના કર્મ નં-૪ પર રહેલી યાદી મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા બેન દશ વર્ષના બોન્ડ પર નોકરીએ લાગેલા હતા. અને વર્ષ-૨૦૨૦ માં એ બોન્ડ આધારિત ફરજ બજાવતા હોય બદલીની અરજી કરી શકે જ નહીં છતાં આ બહેને અરજી કેવી રીતે કરી? અરજી કરી તો તાલુકા શાળાના આચાર્યે અનેક જાતના પ્રમાણપત્રો કેમ આપ્યા ? આ અરજીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સહી-સિક્કા આવે એ સહીઓ કેવી રીતે કરી ? એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છેઅને ખાસ કરીને સરકાર દ્વારા બોન્ડ હેઠળ નોકરી કરતા કર્મચારીની દશ વર્ષ સુધી બદલીની અરજી પણ ન કરી શકે છતાં અરજી રાજકોટ કોર્પોરેશનમાં પહોંચી ગઈ ! અને પ્રતિક્ષા યાદીમાં નામ ચોથા ક્રમે આવી ગયું ! અને રાજકોટ પ્રોપરની શાળામાં બદલી પણ થઈ જશે જેથી કરીને આમાં ભ્રષ્ટાચારીઓએ સરકારે બનાવેલા બદલી માટેના નિયમોનો પણ ઉલાળ્યો કરી નાખ્યો હોય તેવો ઘાટ સામે આવ્યો છે ત્યારે જવાબદાર અધિકારી દ્વારા આ બાબતે કોઈ કડક પગલાં લેવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે






Latest News