મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતો હેરાન: માર્કેટ યાર્ડમાં ખેડૂત કેન્દ્રમાં બઘડાટી


SHARE











મોરબી જિલ્લામાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતો હેરાન: માર્કેટ યાર્ડમાં ખેડૂત કેન્દ્રમાં બઘડાટી 

મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં સારો વરસાદ થયો હોવાથી હાલમાં ખેડૂતોએ અગાઉ જે વાવણી કરી હતી તે પાકમાં ખાતરની જરૂરિયાત છે અને યુરિયા ખાતર લેવા માટે તેને ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે પરંતુ ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો આવતો ન હોવાથી ખેડૂતો રાત ઉજાગરા કરે છે તેમ છતાં પણ તેઓને ખાતર મળતું નથી જેથી કરીને તેમનો પાકને નુકસાન થાય તેવું હાલમાં ખેડૂતો જણાવી રહ્યા છે

મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે અને કેટલાક વિસ્તારોમાં તો જળબંબાકાર થઈ ગયો તેવી પરિસ્થિતિ હાલમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં ખૂબ સારો વરસાદ થયો છે અને જે ખેડૂતો દ્વારા વાવાઝોડાની અસરના ભાગરૂપે વરસાદ પડ્યો હતો ત્યાર પછી જે ખેડૂતોએ આગોતરી વાવણી કરી હતી તેમના પાકને હાલમાં ખાતર આપવાની જરૂર છે અને વરસાદ પણ સારો થયો છે ત્યારે ખાતર ન મળે તો પાકને નુકસાન થાય તેવી ભીતિ સિવાય રહી છ

આજે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે નર્મદા ખેડૂત કેન્દ્ર ખાતે ખેડૂતો વહેલી સવારે ત્રણ અને ચાર વાગ્યાથી ખાતર મેળવવા માટે થઈને લાઈનમાં ઉભા હતા પરંતુ ખાતરનો પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપરથી આવતો ન હોવાના કારણે હાલમાં ખેડૂતોને ખાતર મળતું નથી અને રાત ઉજાગરા કરે તેમ છતાં પણ ખેડૂતોને ખાતર મળતું ન હોવાથી ખાતરના અભાવના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે

જોકે ખેતીવારી વિભાગના જવાબદાર અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૧૦ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો મોરબી જિલ્લામાં આવી ગયો છે અને તે ખેડૂતોને આપવામાં આવ્યો છે જોકે હજુ અંદાજે બે હજાર મેટ્રિક ટન ખાતરના જથ્થાની જરૂરિયાત છે જેની સામે હાલમાં ઉપરથી માલ ઓછો આવતો હોવાથી ખેડૂતોને થોડી હાલાકી થઈ રહી છે પરંતુ વહેલા વહેલી તકે તમામ ખેડૂતોને ખાતરનો જથ્થો જરૂરિયાત પ્રમાણે મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે થઈને હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે






Latest News