મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતો હેરાન: માર્કેટ યાર્ડમાં ખેડૂત કેન્દ્રમાં બઘડાટી


SHARE







મોરબી જિલ્લામાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતો હેરાન: માર્કેટ યાર્ડમાં ખેડૂત કેન્દ્રમાં બઘડાટી 

મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં સારો વરસાદ થયો હોવાથી હાલમાં ખેડૂતોએ અગાઉ જે વાવણી કરી હતી તે પાકમાં ખાતરની જરૂરિયાત છે અને યુરિયા ખાતર લેવા માટે તેને ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે પરંતુ ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો આવતો ન હોવાથી ખેડૂતો રાત ઉજાગરા કરે છે તેમ છતાં પણ તેઓને ખાતર મળતું નથી જેથી કરીને તેમનો પાકને નુકસાન થાય તેવું હાલમાં ખેડૂતો જણાવી રહ્યા છે

મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે અને કેટલાક વિસ્તારોમાં તો જળબંબાકાર થઈ ગયો તેવી પરિસ્થિતિ હાલમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં ખૂબ સારો વરસાદ થયો છે અને જે ખેડૂતો દ્વારા વાવાઝોડાની અસરના ભાગરૂપે વરસાદ પડ્યો હતો ત્યાર પછી જે ખેડૂતોએ આગોતરી વાવણી કરી હતી તેમના પાકને હાલમાં ખાતર આપવાની જરૂર છે અને વરસાદ પણ સારો થયો છે ત્યારે ખાતર ન મળે તો પાકને નુકસાન થાય તેવી ભીતિ સિવાય રહી છ

આજે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે નર્મદા ખેડૂત કેન્દ્ર ખાતે ખેડૂતો વહેલી સવારે ત્રણ અને ચાર વાગ્યાથી ખાતર મેળવવા માટે થઈને લાઈનમાં ઉભા હતા પરંતુ ખાતરનો પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપરથી આવતો ન હોવાના કારણે હાલમાં ખેડૂતોને ખાતર મળતું નથી અને રાત ઉજાગરા કરે તેમ છતાં પણ ખેડૂતોને ખાતર મળતું ન હોવાથી ખાતરના અભાવના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે

જોકે ખેતીવારી વિભાગના જવાબદાર અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૧૦ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો મોરબી જિલ્લામાં આવી ગયો છે અને તે ખેડૂતોને આપવામાં આવ્યો છે જોકે હજુ અંદાજે બે હજાર મેટ્રિક ટન ખાતરના જથ્થાની જરૂરિયાત છે જેની સામે હાલમાં ઉપરથી માલ ઓછો આવતો હોવાથી ખેડૂતોને થોડી હાલાકી થઈ રહી છે પરંતુ વહેલા વહેલી તકે તમામ ખેડૂતોને ખાતરનો જથ્થો જરૂરિયાત પ્રમાણે મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે થઈને હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે






Latest News