મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં કંપનીને આરોપી બનાવી ૩૦૨ની કલમ ઉમેરવા કરાઇ અરજી


SHARE







મોરબીના ઝૂલતા પુલ કેસમાં કંપનીને આરોપી બનાવી ૩૦૨ની કલમ ઉમેરવા કરાઇ અરજી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ હાલમાં મોરબીની કોર્ટમાં ચાલી રહ્યો છે અને સૂઓમોટોની સુનાવણી હાઇકોર્ટમા ચાલી રહી છે ત્યારે મોરબીની સેશન્સ કોર્ટમાં વિકટીમ એસો.ના સભ્ય દ્વારા આ ચકચારી કેસમાં પાલિકા સાથે કોન્ટ્રાક્ટ કરનાર કંપનીને આરોપી બનાવવામાં આવે અને આઇપીસી કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે તેવી માંગ કરી છે

મોરબીમાં ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને કુલ મળીને ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા અને અને લોકો ઘાયલ થયા હતા જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીને અત્યાર સુધીમાં સમયાંતરે પકડવામાં આવ્યા હતા જે પૈકીનાં પાંચ આરોપીના જામીન હાઇકોર્ટમાંથી સમયાંતરે મંજૂર થઈ ગયેલ છે જો કે, હાલમાં મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ હાલમાં મોરબીની કોર્ટમાં ચાલી રહ્યો છે અને સૂઓમોટોની સુનાવણી હાઇકોર્ટમા ચાલી રહી છે ત્યારે મોરબીના વકીલ દિલીપભાઇ આગેચાણિયાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબીની સેશન્સ કોર્ટમાં વિકટીમ એસો.ના સભ્ય દ્વારા ઝૂલતા પુલના કેસમાં પાલિકા સાથે કોન્ટ્રાક્ટ કરનાર કંપનીને આરોપી બનાવવામાં આવે અને આઇપીસી કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે તેવી માંગ કરી છે અત્રે ઉલેખનીય છેકે, આ કેસમાં પકડાયેલા જયસુખભાઇ પટેલની હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે જો કે, તેની સુનાવણીની તારીખેને લગતી કોઈ માહિતી સામે આવી નથી ત્યારે મોરબીની સેશન્સ કોર્ટમાં વિકટીમ એસો.ના સભ્ય દ્વારા કરવામાં આવેલ અરજીને ધ્યાને લઈને આગામી તા. ૨૭ ના રોજ તેની સુનાવણી રાખવામા આવી છે






Latest News