મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

 મોરબીથી સાળંગપુર જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થયેલ યુવાન હેમખેમ મળી આવ્યો


SHARE











 મોરબીના ઉમિયાનગરમાંથી ગુમ થયેલ યુવાન હેમખેમ મળી આવ્યો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા સોસાયટી પાસે આવેલ ઉમિયાનગર વિસ્તારમાંથી યુવાન પોતાના ઘરેથી ગુમ થઈ ગયો હતો અને ત્યારબાદ તેની ગુમસુધા ફરિયાદ પણ મોરબી પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી જેથી પોલીસ અને પરિવાર તેને શોધી રહ્યો હતો દરમિયાન યુવાન અમદાવાદ ખાતે રહેતા તેના ફૈબાના ઘરેથી મળી આવ્યો હોય હાલમાં પરિવારજન અને પોલીસે રાહત શ્વાસ લીધો છે અને યુવાન જુદા જુદા મંદિરોએ દેવ દર્શન કરવા માટે પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા સોસાયટીની પાછળના ભાગમાં આવેલ ઉમિયાનગરમાં રહેતા મંજુબેન છગનભાઈ સોલંકી (૬૦) મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો દીકરો દિલીપ છગનભાઈ સોલંકી (૨૮) ગત તા. ૨૩/૬ થી પોતાના ઘરેથી સાળંગપુર દર્શન કરવા માટે જવાનું કહીને નીકળ્યો હતો ને ત્યારબાદ તે ગુમ થઈ ગયો હતો જેથી તેની ગુમશુધા ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે લઈને પોલીસ તથા પરિવારજનો દ્વારા દિલીપ સોલંકીને શોધવા માટે કવાયત કરવામાં આવી હતી દરમિયાન તે અમદાવાદ ખાતે તેના ફૈબા લીલાબેનના ઘરેથી હાલમાં મળી આવ્યો છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે દિલીપ સોલંકી બગદાણા દ્વારકા જુનાગઢ સોમનાથ વિગેરે જગ્યાએ દેવ દર્શન કરવા માટે પોતાની રીતે ચાલ્યો ગયો હતો

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે રહેતા ગગજીભાઈ મેરાભાઇ (૬૦)ને મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી  ઇજાગ્રસ્ત હાલતમાં તેને રાહુલભાઈ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. #MORBI TODAY






Latest News