મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં એસિડ પી ગયેલ પ્રેમી યુવાનનું મોત


SHARE







મોરબીમાં એસિડ પી ગયેલ પ્રેમી યુવાનનું મોત

મોરબી શહેરના વીસીપરાની અંદર આવેલ રોહીદાસપરામાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હોય તે બાબતે બોલાચાલી અને અને ઝઘડો કર્યો હતો ત્યાર બાદ તે યુવાન એસિડ પી ગયો હતો જેથી તેને સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેની બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા રમેશ મનસુખ ચૌહાણ (૨૩) નામના યુવાનને એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામા આવ્યો હતો અને આ બનાવ અંગેની પોલીસ દ્વારા નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને રાજકોટ ખાતે હોસ્પિટલના બિછાનેથી રમેશ ચૌહાણે પોલીસને નિવેદન આપ્યું હતું તેમાં તેને જણાવ્યુ હતું કે, તેને પ્રેમ સબંધ હોય તે બાબતે બોલાચાલી અને ઝઘડો કરીને અજાભાઈ અને દયાબેન નામના વ્યક્તિઓએ તેને એસિડ પીવડાવી દીધેલ છે જો કે, રાજકોટ ખાતે સારવાર દરમ્યાન રમેશ મનસુખ ચૌહાણનું મોત નીપજયું છે અને હાલમાં પોલીસે રમેશ ચૌહાણે એસિડ પી લીધું હોય તેનું મોત નીપજયું હોવાની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

ઝેરી દવા પીધી

હળવદ શહેરમાં બસ સ્ટેન્ડ પાસે આવેલ જય બજરંગ વાડી નજીક રહેતો રવિ પરસોતમભાઈ સોલંકી (૨૫) નામનો યુવાન ઘરે હતો ત્યારે ઝેરી દવા પી જતા તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

ફિનાઇલ પીધું

મોરબી નજીકના વિસ્તારમાં આવેલ ડેલ્ટા જીઓ કારખાનાની અંદર રહેતી અને મજૂરી કામ કરતી મુસ્કાન શુકબતીભાઈ રેકવાર (૨૬) નામની મહિલા લાલપરથી ભડીયાદ રોડ ઉપર હતી ત્યારે ફિનાઇલ પી ગઈ હતી જેથી તેને ગોવિંદ આદિવાસી સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે






Latest News