મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા પાસે અકળ કારણોસર યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE











મોરબીના આંદરણા પાસે અકળ કારણોસર યુવાને અંતિમ પગલું ભર્યું

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ આંદરણા ગામ પાસે યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને ૧૦૮ મારફતે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા વાડી વિસ્તારમાં રહેતો દલાભાઈ બસીરભાઈ નાયક (૨૦) નામનો યુવાન મોરબી તાલુકાના અંદરણા ગામ તરફ જતા રસ્તા ઉપર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાને કયા કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરેલ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે હાલમાં આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે

બીમારી સબબ મોત

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા ગાયત્રીબેન નારાયણસિંઘ (૪૫) છેલ્લા એક અઠવાડિયાથી બીમાર હોય તેની તબિયત વધુ બગડતા તેના પતિ નારાયણસિંઘ વાહનમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે હોસ્પિટલે ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને મહિલાને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે




Latest News