મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

નવલખી પાસેના જુમાવાડીના લોકોને કેશડોલની સહાય ચુકવવાની માંગ


SHARE











નવલખી પાસેના જુમાવાડીના લોકોને કેશડોલની સહાય ચુકવવાની માંગ

મોરબી જીલ્લામાં પણ વાવાઝોડાની અસર થાય તેવી શક્યતા હતી જેથી નવલખી પાસેના જુમાવાડી વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતી અને તા ૧૩/૦૬/૨૦૧૩ થી ૧૬/૦૬/૨૦૨૩ દરમ્યાન બિપોરજોય વાવાઝોડાની આગાહી હતી જેથી ત્યાંના ૧૨૦૦ થી વધુ લોકોને ન્યુ નવલખી પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર થવા માટે મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીના કહેવાથી ગયા હતા અને જુમાવાડી વિસ્તારના તમામ લોકો સ્થળાંતર થઈ ગયેલ હતાં. પરંતુ ૧૨૦૦ થી વધુ લોકોને પ્રાથમિક શાળા ખાતે રહી શકે તેવી વ્યવસ્થા ન હોવાથી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ જે લોકોને તેમના સગા-સંબંધીના ઘરે જવું હોય તેને જવા માટે કહેવામા આવ્યું હતું જો કે, તા. ૧૭/૦૬/૨૦૨૩ ના રોજ તાલુકાની ટીમ દ્રારા કેશડોલ સહાય ચુકવવામાં આવેલ ત્યારે તેમણે માત્ર પ્રાથમિક શાળામાં સ્થળાંતર લોકોને જ સહાય ચુકવી છે જેથી કરીને તેનો તે લોકોએ અસ્વીકાર કરેલ છે અને જુમાવાડી વિસ્તારના તમામ ૧૨૦૦ થી વધુ લોકો કે જેમનું સ્થળાંતર કરવામાં આવેલ છે તેને કેશડોલ ચુકવવામાં આવે તથા ઘરવખરી નુકશાનીની સહાય ચુકવવામાં આવે તેવી જુસબભાઈ ઓસમાણભાઈ સાંઈચાની આગેવાની હેઠળ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે






Latest News