મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયાનગરમાં શેરીમાં પડેલા લાકડા બાબતે સમજાવવા ગયેલ યુવાનને દંપતીએ માર માર્યો


SHARE











મોરબીના ઉમિયાનગરમાં શેરીમાં પડેલા લાકડા બાબતે સમજાવવા ગયેલ યુવાનને દંપતીએ માર માર્યો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની પાછળ આવેલ ઉમિયાનગરમાં શક્તિ ચેમ્બરની પાછળના ભાગમાંથી યુવાન પોતાની રિક્ષા લઈને જતો હતો ત્યારે શેરીમાં પડે લાકડા બાબતે સમજાવવા જતા દંપતીએ તેની સાથે બોલાચાલી કરીને ગાળો આપીને ઢીકા પાટુનો માર માર્યો હતો તથા નાક ઉપર પથ્થર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પત્નીએ હાલમાં દંપતીની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ ઉમિયા નગરમાં શક્તિ ચેમ્બરની પાછળ રહેતા રવિનાબેન લલીતભાઈ રાઠોડ (૩૧) એ હાલમાં અનિતાબેન જેસીંગભાઇ સોલંકી અને જયસિંગભાઈ ભીમાભાઇ સોલંકી રહે. બંન્ને ઉમિયા નગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓના પતિ પોતાની રીક્ષા લઈને શેરીમાંથી નીકળતા હતા ત્યારે શેરીમાં પડેલા લાકડા બાબતે સામેવાળાને સમજાવવા માટે ગયા હતા અને ત્યારે અનિતાબેન સોલંકીએ ફરિયાદીના પતિને ઉશ્કેરાઈ જેને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા ડાબા પગના પંજામાં પથ્થર મારીને ઇજા કરી હતી તેમજ જેસીંગભાઇ સોલંકીએ પથ્થર વડે ફરિયાદીના પતિને નાકના ભાગે માર મારીને ઈજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર બાદ ભોગ બનેલ યુવાનની પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દંપતિ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં નુકશાની

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર સામે રસ્તા ઉપરથી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કસરા ગામે રહેતા પ્રદ્યુમનસિંહ અનિરુદ્ધસિંહ ગોહિલ જાતે દરબાર (૪૬) પોતાની કાર નંબર જીજે ૮ સીજી ૮૯૫૪ લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલ ટ્રક કન્ટેનર નંબર જીજે ૧૨ ડીટી ૫૫૧૨ ના ચાલકે તેની કારમાં વાહન અથડાવ્યું હતું જેથી કરીને કારમાં નુકસાની થયેલ હોય ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News