મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી સર્વિસ સ્ટેશનમાં ટ્રક રિવર્સ લેતા સમયે દબાઈ જવાથી યુવાનનું મોત: ગુનો નોંધાયો


SHARE







મોરબીના ટિંબડી સર્વિસ સ્ટેશનમાં ટ્રક રિવર્સ લેતા સમયે દબાઈ જવાથી યુવાનનું મોત: ગુનો નોંધાયો

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ સર્વિસ સ્ટેશનમાં વાહન રિવર્સમાં લેવડાવતા સમયે વાહન નીચે યુવાન દબાઈ ગયો હતો જેથી ગંભીર ઇજા થતાં ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં હાલમાં મૃતકના પિતાએ ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધીને આરોપી ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી  છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામે રહેતા દિલીપસિંહ ચંદ્રસિંહ રાઠોડ (૩૮) નું આવળ સર્વિસ સ્ટેશન ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ છે અને ત્યાં વાહનને રિવર્સમાં લેવડાવવા માટેની કામગીરી દરમિયાન વાહન ઝડપથી પાછું આવી જતા તેની ઝડપે ચડી જવાથી દિલીપસિંહ ચંદ્રસિંહ રાઠોડને ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાનને બે દીકરીઓ છે અને અકસ્માતના આ બનાવના કારણે બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે આ બનાવમાં મૃતકના પિતા ચંદ્રસિંહ જયમલસિંહ રાઠોડ જાતે-કારડિયા રાજપુત (૬૪) રહે.  ટિંબડી વાળાએ હાલમાં સફેદ કલરની કેબીન વાળુ ટાટા કંપનીનુ ટ્રક રજી નં- આરજે ૧૯ જીએફ ૮૧૬૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને સ્થળ ઉપર વાહન છોડીને ભાગી ગયેલા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામ પાસેથી પસાર થઈ રહેલા અરજણભાઈ દેવકારણભાઈ જીવાણી (૫૦) ને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં તેઓને જમણા પગમાં ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે






Latest News