મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામની સીમમાં વાડીએ મહિલાએ અંતિમ પગલું ભર્યું: બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી


SHARE











મોરબીના કોયલી ગામની સીમમાં વાડીએ મહિલાએ અંતિમ પગલું ભર્યું: બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી

મોરબી તાલુકાના કોયલી કૃષ્ણનગર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરીકામ કરતી આદિવાસી મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સિવિલ હોસ્પિટલે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કોયલી કૃષ્ણનગર ગામની સીમમાં પ્રવીણભાઈ કાનાભાઈ પટેલની વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા શ્યામભાઈ આદિવાસીના પત્ની સુમનબેન (૨૨)એ વાડીએ હતા ત્યારે કોઈ પણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે મહિલાને તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો પાંચ વર્ષનો હતો અને તેને સંતાનમાં બે દીકરા હતા જોકે તેને કયા કારણોસર ઝેરી દવા પીને મહિલાએ આપઘાત કરેલ છે તે દિશામાં હાલમાં પોલીસ તપાસ કરી રહી છે અને મહિલાએ આપઘાત કરી લેતા તેના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે

વરલી જુગાર

વાંકાનેર શહેરમાં આવેલ મિલ પ્લોટ ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા યુનુસભાઈ અભરામભાઇ હાલા જાતે સંધિ (૪૬) રહે. મિલ પ્લોટ ફારુકી મસ્જિદ પાસે વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૮૫૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News