મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં મીઠાના અગરોમાં થયેલા નુકશાન સામે વળતરની માંગ


SHARE







માળીયા (મી) તાલુકામાં મીઠાના અગરોમાં થયેલા નુકશાન સામે વળતરની માંગ

મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં મોટા પ્રમાણ મીઠાના અગરો આવેલ છે અને વાવાઝોડાના લીધે વરસાદ પડતાં મોટું નુકસાન થયું છે ત્યારે આગરિયા હિત રક્ષક મંચએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને માળીયાના મીઠાના અગરોમાં વાવાઝોડાના લીધે થયેલ નુકશાન સામે વળતર આપવાની માંગ કરી છે આ રજૂઆતમાં જણાવ્યુ છે કે, બીપોરજોય વાવાઝોડાએ ભારે ખાનાખરાબી કરી હતી. જેમાં માળીયા તાલુકામાં મીઠાના પાળા વધુ પાણી આવતા ચોવાઈ ગયેલ છે, મીઠાના અગરોને નુકશાન થયું છે જેથી કરીને અગરિયાઓને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. ત્યારે અગરીયાઓને થયેલ નુકસાની સામે વળતર આપવામાં આવે તે જરૂરી છે તેવું અગરીયા હિતરક્ષક મંચના મોરબી જીલ્લા કોઓડિનેટર મારુતસિંહ બારૈયાએ જણાવ્યુ છે






Latest News