મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં આઈશ્રી સોનલમાઁ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે: બ્રિજરાજદાન ગઢવી-હકાભા ગઢવી કરશે જમાવટ


SHARE







મોરબીમાં આઈશ્રી સોનલમાઁ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે: બ્રિજરાજદાન ગઢવી-હકાભા ગઢવી કરશે જમાવટ

મોરબીના સમસ્ત ચારણ સમાજ જોગ અખબારી યાદીમાં જણાવ્યુ છે કે, મોરબી ચારણ સમાજ દ્વારા તા.૨૫-૬ ને રવિવારથી તા.૨૭-૬ મંગળવાર સુધી આઈશ્રી સોનલમાઁ મંદિર, ચારણ સમાજની વાડી, લીલાપર રોડ, ગૌશાળા સામે, મોરબી ખાતે સોનલમાઁ મંદિરનો ત્રીદીવસીય ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ શાસ્ત્રી જીજ્ઞેશભાઇ પંડયાના આચાર્યપદે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમા પ્રથમ દિવસે તા.૨૫ ને રવિવારે સાંજે ૫ કલાકે સોનલમાઁની મૂર્તિની નગરયાત્રા ગોવિંદભા રાજૈયા તથા નાનભા રાજૈયાના નિવાસસ્થાનેથી ચારણ સમાજની વાડી સુધી નીકળનાર છે.જેથી આ રથયાત્રામાં આઈશ્રી સોનલમાઁના દર્શન માટે સૌને ભાવભર્યું આમંત્રણ છે.તેમજ બીજા દિવસે તા.૨૬ ને સોમવારે સાંજે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગુજરાતના ધુરંધર લોકસાહિત્યકાર એવા બ્રિજરાજદાન ગઢવી, હાસ્યકલાકાર હકાભા ગઢવી, ચારણી ચરજોના કલાકાર જયદાન ગઢવી તથા મોરબીના જાણીતા લોકસાહિત્યકાર રાજુભાઈ આહિર દ્વારા ચારણી ચરજો, દુહાછંદ અને હાસ્યની છોળો સાથે ભવ્ય સંતવાણી  યોજવામાં આવશે.

જયારે ત્રીજા દિવસે તા.૨૭ ના આઈશ્રી સોનલમાઁ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી પૂર્ણાહુતિ બાદ ગોવિંદભા રાજૈયા તથા નાનભા રાજૈયા તરફથી મહાપ્રસાદનું આયોજન કરાયેલ છે.વધુ માહીતી માટે ભારૂભા બાવડા (મો.૯૭૨૬૧ ૮૭૧૩૮), સંજયભા નૈયા (મો.૯૭૨૭૪ ૦૧૦૧૦), મુકેશભા મારૂ (મો.૯૭૨૭૨ ૩૧૮૧૬), જનકભા જામંગ (મો.૮૨૦૦૯ ૨૫૫૯૬), હરદાસભા રતન (મો.૯૯૨૫૧ ૮૨૯૪૫), કરણભા રાજેયા (મો.૯૭૨૭૯ ૨૨૫૯૧), સંજયભા નાંદણ (મો.૭૮૭૪૧ ૩૧૨૪૨) અથવા જયેશભા જામંગ (મો.૭૬૯૮૮ ૬૦૧૬૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News