મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી
Breaking news
Morbi Today

મોરબીમાં રાજવી પરિવારે આપેલ ઐતિહાસિક મિલકતોની જાળવણી માટે મુખ્યમંત્રીને રજુઆત


SHARE











મોરબીમાં રાજવી પરિવારે આપેલ ઐતિહાસિક મિલકતોની જાળવણી માટે મુખ્યમંત્રીને રજુઆત

મોરબીના રાજવી પરિવારે લોકો માટે ઘણી મિલકતો આપી છે જે મિલકતોના નામ ન બદલવા અને તેને પાડવામા ન આવે તેના માટે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે

મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ હાલમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, આઝાદી પછી મોરબી સ્ટેટે ઘણી બધી ઇમારતો પ્રજાના હીત માટે આપેલ છે. જેવી કે એલ.ઇ. કોલેજ, નંદકુંવરબા ધર્મશાળા, નંદ કુંવરબા જનાના હોસ્પીટલ, મણીમંદિર, મહેન્દ્રસિંહજી હોસ્પીટલ, વી.સી. હાઇસ્કૂલ, મીડલ સ્કૂલ, તા. શાળા સુરજબાગ, કેસરબાગ, ઝુલતો પુલ અને બાલ મંદિર વિગેરેનો સમાવેશ થાય છે ત્યારે એલ.ઇ. કોલેજના બિલ્ડિંગના બાંધકામ પાડીને નવું બનાવવાની તજવીજ ચાલે છે. ત્યારે રાજવી પરીવારે આપેલ ભાતીગળ ઇમારતોના નામ ભુસી નાખવાના પ્રયત્ન થઇ રહયા છે તેવો આક્ષેપ કરેલ છે

મોરબી સ્ટેશન પાસે ભવ્ય નંદકુંવરબા ધર્મશાળા હતી. તે તોડીને રેનબસેરા બનાવેલ છે. તેવી જ રીતે મહેન્દ્રસિંહજી હોસ્પીટલને ગાંધી ચોકમાં શિફ્ટ કરીને સીવીલ હોસ્પીટલ બનાવેલ છે આમ રાજવી પરીવારે આપેલ ઇમારતોમાંથી નામ ભુસાતા જાય છે. ત્યારે આજે પણ મોરબીના વાઘજી બાપુના બાવલા પાસેથી આવતા જતા માણસો પગે લાગે છે અને માનતા કરે છે. મોરબીમાં ગમે ત્યારે આફત આવે પુર, હોનારત, ધરતીકંપ, ઝુલતા પુલની દુર્ઘટના હોય રાજવી પરીવાર પોતાની પ્રજા માટે દુઃખમાં ઉભા રહી મદદ કરે છે. અને તેનો રાજધર્મ નીભાવે છે. આટલા વર્ષો પછી પણ નિસ્વાર્થ ભાવે તેની પ્રજા એવુ ઇચ્છી રહી છે જે ઇમારતોના નામ હતા. તે જ રાખવા આવે જેમ કે, સીવીલ હોસ્પીટલને મહેન્દ્રસિંહજી હોસ્પીટલ તેમા જે જનાના હોસ્પીટલ છે તેનું નામ નંદકુંવરબા રાખવું અને જે રેઇન બસેરા બનાવેલ છે તેનું નામ નંદકુંવરબા રેઇન બસેરા રાખવું. જે પુલ બનેલ છે તેને મયુર બ્રીજ નામ આપવુ અને સુરજબાગ, કેસરબાગ જે બોર્ડ હતા તે ફરીથી મુકવામાં આવે તેવી માંગ કરી છે






Latest News