મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનામાં મૃત્યુ પામેલા યુવાનના મોતનું કારણ જાણવા વીસેરા લેવામાં આવ્યા


SHARE











મોરબીના સિરામિક કારખાનામાં મૃત્યુ પામેલા યુવાનના મોતનું કારણ જાણવા વીસેરા લેવામાં આવ્યા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામની સીમમાં કારખાનામાં મજૂરી ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં મૂળ ઓડિસાના રહેવાસી યુવાનનું કારખાનાની ઓરડીમાં મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ યુવાનના મૃત્યુના ચોક્કસ કારણને જાણવા માટે વીસેરા લેવામાં આવ્યા હોવાનું હાલમાં તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળી રહ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓડિશાના મછાડા ગામના રહેવાસી અને હાલમાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામની સીમમાં ડેલ્ટા સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં ઓરડીમાં રહેતા કિશોરચંદ્ર હરિભાઈ હંસડા જાતે આદિવાસી (૩૦) નામનો યુવાન રાત્રિના દસેક વાગ્યાની આસપાસ જમીને પોતાની મજૂરની ઓરડીમાં સૂતો હતો અને ત્યાર બાદ તે સવારે ઉઠ્યો ન હતો જેથી કરીને તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારે હોસ્પિટલે ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને લક્ષ્મીધારા હરિભાઈ હંસડા જાતે આદિવાસી (૧૮) રહે. હાલ ઝેડ સીરામીક લેબર કવાર્ટર મોરબી વાડીએ જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ અંગેની આગળની તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને હાલમાં વીસેરા લેવામાં આવ્યા છે અને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે






Latest News