મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનામાં મૃત્યુ પામેલા યુવાનના મોતનું કારણ જાણવા વીસેરા લેવામાં આવ્યા


SHARE











મોરબીના સિરામિક કારખાનામાં મૃત્યુ પામેલા યુવાનના મોતનું કારણ જાણવા વીસેરા લેવામાં આવ્યા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામની સીમમાં કારખાનામાં મજૂરી ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં મૂળ ઓડિસાના રહેવાસી યુવાનનું કારખાનાની ઓરડીમાં મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ યુવાનના મૃત્યુના ચોક્કસ કારણને જાણવા માટે વીસેરા લેવામાં આવ્યા હોવાનું હાલમાં તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળી રહ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓડિશાના મછાડા ગામના રહેવાસી અને હાલમાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામની સીમમાં ડેલ્ટા સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં ઓરડીમાં રહેતા કિશોરચંદ્ર હરિભાઈ હંસડા જાતે આદિવાસી (૩૦) નામનો યુવાન રાત્રિના દસેક વાગ્યાની આસપાસ જમીને પોતાની મજૂરની ઓરડીમાં સૂતો હતો અને ત્યાર બાદ તે સવારે ઉઠ્યો ન હતો જેથી કરીને તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારે હોસ્પિટલે ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને લક્ષ્મીધારા હરિભાઈ હંસડા જાતે આદિવાસી (૧૮) રહે. હાલ ઝેડ સીરામીક લેબર કવાર્ટર મોરબી વાડીએ જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ અંગેની આગળની તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને હાલમાં વીસેરા લેવામાં આવ્યા છે અને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે






Latest News