મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનામાં મૃત્યુ પામેલા યુવાનના મોતનું કારણ જાણવા વીસેરા લેવામાં આવ્યા


SHARE







મોરબીના સિરામિક કારખાનામાં મૃત્યુ પામેલા યુવાનના મોતનું કારણ જાણવા વીસેરા લેવામાં આવ્યા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામની સીમમાં કારખાનામાં મજૂરી ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં મૂળ ઓડિસાના રહેવાસી યુવાનનું કારખાનાની ઓરડીમાં મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ યુવાનના મૃત્યુના ચોક્કસ કારણને જાણવા માટે વીસેરા લેવામાં આવ્યા હોવાનું હાલમાં તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળી રહ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓડિશાના મછાડા ગામના રહેવાસી અને હાલમાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામની સીમમાં ડેલ્ટા સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં ઓરડીમાં રહેતા કિશોરચંદ્ર હરિભાઈ હંસડા જાતે આદિવાસી (૩૦) નામનો યુવાન રાત્રિના દસેક વાગ્યાની આસપાસ જમીને પોતાની મજૂરની ઓરડીમાં સૂતો હતો અને ત્યાર બાદ તે સવારે ઉઠ્યો ન હતો જેથી કરીને તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારે હોસ્પિટલે ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને લક્ષ્મીધારા હરિભાઈ હંસડા જાતે આદિવાસી (૧૮) રહે. હાલ ઝેડ સીરામીક લેબર કવાર્ટર મોરબી વાડીએ જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ અંગેની આગળની તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને હાલમાં વીસેરા લેવામાં આવ્યા છે અને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે






Latest News