મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી: માનસિક બિમાર-બહેરાશ ધરાવતા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન


SHARE











મોરબી: માનસિક બિમાર-બહેરાશ ધરાવતા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન

મોરબીમાં માનસિક બિમાર અને બહેરાશ ધરાવતા ૭૭ વર્ષના વૃદ્ધ મહિલા જેશર, જિલ્લો ભાવનગરથી ગત તા. ૬ જૂનના રોજ મોરબી આવી ગયા હતા. રાત્રે ૮ કલાકે મોરબી બસ સ્ટેન્ડથી મળી આવતા ૧૮૧ મારફતે સખી વન સ્ટોપ મોરબી ખાતે લાવવામાં આવ્યા હતા. બીજા દિવસે સવારે વૃદ્ધા અંબાબેન ચૌહાણનું કાઉન્સિલીંગ કરાતા તેઓ સાંભળી શકતા નથી તેવી ખબર પડી હતી.પરંતુ વૃદ્ધાને વારંવાર કાઉન્સિલીંગ કરતાં તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે, તેઓને ૨ દીકરા છે જે સુરત ખાતે રહે છે. એલ્ડર હેલ્પલાઈન ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર દ્વારા તેમના દીકરાઓનો સંપર્ક કરી તેમને બોલાવવામાં આવ્યા હતા. જે અન્વયે આજરોજ તા. ૮/૬/૨૦૨૩ ના રોજ સવારે  મહિલા SHE team અને સખી વન સ્ટોપ સેન્ટર-મોરબીને સાથે રાખી વૃદ્ધાનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું હતું. પરિવારે સૌનો આભાર માન્યો હતો






Latest News