મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

નવલખી રોડના કપાતની સ્પષ્ટતા નહીં કરવામાં આવે તો લુંટાવદર ગામના લોકો કરશે આંદોલન


SHARE







નવલખી રોડના કપાતની સ્પષ્ટતા નહીં કરવામાં આવે તો લુંટાવદર ગામના લોકો કરશે આંદોલન

નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા નવલખી રોડની કપાત નક્કી કરવામાં આવી છે જો કે, કેટલી કપાત આવશે ?, કેટલું વળતર આપવામાં આવશે ? તેની કોઈ ચોખવાટ કરવામાં આવી નથી જેથી કરીને હાલમાં લુંટાવદર ગામના લોકોએ આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જો વાંધાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગામના લોકો દ્વારા ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે

મોરબી તાલુકાનાં લુંટાવદર ગામના લોકોએ આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, લુંટાવદર પાસેથી નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા હાઇવે રોડની કપાત કરવામાં આવનાર છે ત્યારે જે ખેડૂતોની જમીન કાપાઈ છે તે તમામ ખેડૂતો દ્વારા વાંધા અરજી આપવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, NHAI દ્વારા હાઇવે કાઢો છો. જેની એક કિલોમિટર સમકક્ષ એરીયામા અગાઉથી જ મોરબી-નવલખી હાઇવે આવેલ છે. જે ર લેન છે. તથા સરકાર દ્વારા ૪ લેન પાસ થઇ ગયેલ છે. અને લુંટાવદર ગામ પાસે ખેતી લાયક ઉપજાઉ કપાત જમીન ૨૬-૮૯-૨૯ હૈ-આરે છે. જે બહુ જ વધારે કહેવાય જેના લીધે ઘણા બધા ખેડૂતોને આર્થિક નુકશાન થાય તેમ છે અને જે જમીન કપાઈ છે તેમાં કેટલી જમીન કપાય છે ? તેનું લીસ્ટ ૧૦ દીવસમાં આપવાની માંગ કરવામાં આવી છે તેમજ જે જમીનની કાપત છે તેની સામે વળતર શું આપવામાં આવશે ? અને હાલમાં જે હાઇવે છે ત્યાં બીજા કોઇ નવા હાઇવેની જરૂરીયા નથી અને જો સરકાર ગામના લોકોની વાંધા અરજીને ધ્યાને લઈને કોઇ નીરાકરણ નહીં કરે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે ગામના લોકો દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News