મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

નવલખી રોડના કપાતની સ્પષ્ટતા નહીં કરવામાં આવે તો લુંટાવદર ગામના લોકો કરશે આંદોલન


SHARE











નવલખી રોડના કપાતની સ્પષ્ટતા નહીં કરવામાં આવે તો લુંટાવદર ગામના લોકો કરશે આંદોલન

નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા નવલખી રોડની કપાત નક્કી કરવામાં આવી છે જો કે, કેટલી કપાત આવશે ?, કેટલું વળતર આપવામાં આવશે ? તેની કોઈ ચોખવાટ કરવામાં આવી નથી જેથી કરીને હાલમાં લુંટાવદર ગામના લોકોએ આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જો વાંધાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગામના લોકો દ્વારા ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે

મોરબી તાલુકાનાં લુંટાવદર ગામના લોકોએ આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, લુંટાવદર પાસેથી નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા હાઇવે રોડની કપાત કરવામાં આવનાર છે ત્યારે જે ખેડૂતોની જમીન કાપાઈ છે તે તમામ ખેડૂતો દ્વારા વાંધા અરજી આપવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, NHAI દ્વારા હાઇવે કાઢો છો. જેની એક કિલોમિટર સમકક્ષ એરીયામા અગાઉથી જ મોરબી-નવલખી હાઇવે આવેલ છે. જે ર લેન છે. તથા સરકાર દ્વારા ૪ લેન પાસ થઇ ગયેલ છે. અને લુંટાવદર ગામ પાસે ખેતી લાયક ઉપજાઉ કપાત જમીન ૨૬-૮૯-૨૯ હૈ-આરે છે. જે બહુ જ વધારે કહેવાય જેના લીધે ઘણા બધા ખેડૂતોને આર્થિક નુકશાન થાય તેમ છે અને જે જમીન કપાઈ છે તેમાં કેટલી જમીન કપાય છે ? તેનું લીસ્ટ ૧૦ દીવસમાં આપવાની માંગ કરવામાં આવી છે તેમજ જે જમીનની કાપત છે તેની સામે વળતર શું આપવામાં આવશે ? અને હાલમાં જે હાઇવે છે ત્યાં બીજા કોઇ નવા હાઇવેની જરૂરીયા નથી અને જો સરકાર ગામના લોકોની વાંધા અરજીને ધ્યાને લઈને કોઇ નીરાકરણ નહીં કરે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે ગામના લોકો દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News