મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વારંવાર પાવર કાપ મૂકીને પીજીવીસીએલ દ્વારા પ્રજાની કરાતી હેરાનગતી બંધ કરો : રમેશ રબારી


SHARE











મોરબીમાં વારંવાર પાવર કાપ મૂકીને પીજીવીસીએલ દ્વારા પ્રજાની કરાતી હેરાનગતી બંધ કરો : રમેશ રબારી

મોરબી શહેરમાં અવાર નવાર બુધવાર અને રવિવારે મેન્ટેનન્સના બહાને પાવર કાપ મૂકવામાં આવે છેલ્લા ૬ માસથી મેઇન્ટેન્સની કામગીરી ચાલી રહેલ છે તે કામગીરી હજુ સુધી પૂરી કરવામાં આવેલ નથી તેવું લાગી રહ્યું છે.કારણ કે વારંવાર શહેરના કોઈને કોઈ વિસ્તારની અંદર લાઈટ જાય છે અને મેન્ટેનન્સ કામ ચાલુ છે તેઓ એક જવાબ આપી દેવામાં આવે છે.જો કે હાલ ગરમીનો સમય હોય અને લોકો હેરાન થતા હોય પ્રી-મોનસુનની કામગીરી કેવી થઇ હશે તે સામે પણ પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે.

આ બાબતે અહીંના કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીના જણાવ્યા પ્રમાણે, પીજીવીસીએલની અણઆવડત કહો કે ઈરાદાપૂર્વક કરાતી હેરાનગતીમાં આખો દિવસ અને રાતમાં ગમે ત્યારે પાવર બંધ કરીને હાલના આ કાળઝાળ ઉનાળાના સમયમાં બપોરના સમયે પાવર કાપ મૂકી લોકોને પરેશાન કરવામાં આવે છે. તેમજ જરા પણ વાતાવરણમાં ફેરફાર થાય ત્યાં તરત લાઈટ બંધ કરી નાંખવામાં આવે છે અને કલાકો સુધી પાવર ચાલુ કરવામાં આવતો નથી તેમજ પીજીવીસીએલ દ્વારા આપવામાં આવેલ ફરિયાદ  લખાવવા માટેનો ફોન સતત એંગેજ બતાવે છે અથવા કોઈ કર્મચારી ફોન ઉપાડતાં નથી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન અને માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ પીજીવીસીલના મુખ્ય અઘિકારીને રજૂઆત કરેલ છે કે આવા આકરા ઉનાળામાં પાવર કાપ બંધ કરીને પ્રજાની જરૂરિયાત મુજબનો વીજ પુરવઠો નિરંતર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવવી જોઇએ.






Latest News