ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક પાણીના ખાડામાંથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી: તપાસ શરૂ


SHARE











મોરબી નજીક પાણીના ખાડામાંથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી: તપાસ શરૂ

મોરબી તાલુકાના ઘૂટું ગામની સીમમાં આવેલ પેપર મીલ સામે પાણીના ખાડામાંથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી આવી છે જેથી તેની બોડીને પીએમ માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે હાલમાં આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના સાગર જિલ્લાના મુહાલી ગામનો રહેવાસી અને હાલમાં મોરબીના ગામની સીમા આવેલ ન્યુલક્ષ પેપરમીલ કારખાનામાં રહીને ત્યાં મજૂરી કામ કરતો અનુપભાઈ રામસિંહ ગોડ જાતે આદિવાસી (૨૪) નામના યુવાનની કારખાના પાસે આવેલ પાણીના ખાડામાંથી કોહવાઈ ગયેલી હાલતમાં પાણીમાં તરતી લાશ મળી આવી હતી જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી મૃતક યુવાનના ડેડબોડીનું ફોરેન્સિક પીએમ કરવા માટે તેને રાજકોટ ખસેડવામાં આવેલ છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતકના પરિવારજન છોટુભાઈ દશરથભાઈ ગોડ જાતે આદિવાસી રહે. હાલ ન્યુલક્ષ પેપરમીલ કારખાના વાળાએ જાણ કરતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગત તા. ૨૨/૫  ના રોજ કારખાનેથી મોરબી જાઉં છું તેવું કહીને અનુપભાઈ નીકળ્યા હતા અને ત્યારબાદ તેની ડેડબોડી કોહવાઈ ગયેલ હાલતમાં મળી છે જેથી કરીને પોલીસે શંકાના આધારે આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે






Latest News