ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ મહિલાનું મોત


SHARE











વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ મહિલાનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ મહિલાને સારવાર માટે અમદાવાદ સુધી લઈને ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવ અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના દેવપરા ગામના રહેવાસી ભગીરથભાઈ સોલંકીના પત્ની સોનલબેન સોલંકી (૩૭) વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ ઓ.આર.બી. સિરામિક કારખાનામાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે કામ કરતી વખતે સાત ફૂટની ઊંચાઈ ઉપરથી તે નીચે પટકાયા હતા જેથી કરીને તેને શરીરને ઇજાઓ થઈ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને અમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને અમદાવાદની સરકારી હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી પાછળ ગાત્રાળ નગરમાં ઝૂંપડામાં રહેતા મુન્નાભાઈ ધીરુભાઈ પરમાર જાતે બાબાજી (૪૦) નામના યુવાનને ટીબીની બીમારી હોય અચાનક શ્વાસ ચડ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ ત્પાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધા કરી આગળની કાર્યવાહી કરી હતી






Latest News