મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે  સનાતન સ્વાભિમાન યાત્રા યોજાઇ


SHARE











મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે  સનાતન સ્વાભિમાન યાત્રા યોજાઇ

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે સનાતન સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સોમવારે સાંજે રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિતે આ યાત્રા મોરબીના મુખ્યમાર્ગ ઉપરથી કાઢવામાં આવી હતી ત્યારે જુદાજુદા હિન્દુ સંગઠનના આગેવાનો સહિતના લોકો તેમાં જોડાયા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબી રાજપૂત કરણી સેના દ્વારા સનાતન સ્વાભિમાન યાત્રા નહેરુ ગેઇટ ચોક ખાતેથી શરુ કરવામાં આવી હતી જે ગ્રીન ચોક અને દરબાર ગઢ થઈને સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ સુધી પહોચી હતી ત્યારે કેસરિયા ધ્વજથી મોરબીમાં કેસરીયો માહોલ ઊભો થયો હતો આ સનાતન સ્વાભિમાન યાત્રાને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા પ્રમુખ તરીકે માનોજસિંહ જાડેજા (સાપર), મોરબી તાલુકા પ્રમુખ તરીકે જયદેવસિંહ જાડેજા, માળિયા તાલુકા પ્રમુખ તરીકે કુલદીપસિંહ જાડેજા (વાઘારવા), શહેર પ્રમુખ તરીકે અશોકસિંહ ચુડાસમા, મોરબી જિલ્લા સોશિયલ મીડિયા મોરબી જિલ્લા ઇન્ચાર્જ જાડેજા મહિદિપસિંહ (વીરપરડા), મોરબી શહેર સોશિયલ મીડિયા ઇન્ચાર્જ જાડેજા જયદીપસિંહ સહિતના રાજપૂત સમાજના આગેવાનો, હોદેદારો અને યુવાનોએ જહેમત ઉઠાવી હતી






Latest News