મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી બે ખાનગી ફાયનાન્સ કંપનીઓ ૨૦૦૦ ની ગુલાબી નોટ સ્વીકારવાનો કર્યો ઇનકાર


SHARE











મોરબીમાં જુદીજુદી બે ખાનગી ફાયનાન્સ કંપનીઓ ૨૦૦૦ ની ગુલાબી નોટ સ્વીકારવાનો કર્યો ઇનકાર

સરકારે ૨૦૦૦ ની ગુલાબી નોટ પછી લેવાનું આયોજન કર્યું છે જો કે તેના માટે ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે તો પણ ઘણી જગ્યાએ ૨૦૦૦ ની નોટ લેવાનું વાંધ કરી લેવામાં આવી છે ત્યારે આવી જ રીતે મોરબીમાં આવેલ બે ખાનગી ફાયનાન્સ કંપનીઓએ રિઝર્વ બેન્કના નિયમોનો ઉલાળિયો કરીને ગુલાબી નોટ લેવાનું બંધ કરી દીધું છે જેથી કરીને લોકોને હેરાન થવું પાસે છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આઇઆઇએફએલ ફાયનાન્સ કંપનીએ મોરબીના યોગીનગરમાં રહેતા યુવરાજસિંહ વાઘુભા જાડેજાને ગોલ્ડ લોન આપી હતી જેની રકમ ભરવા માટે તે ગયેલા હતા ત્યારે ત્યાના સ્ટાફે બે હજારની નોટ લેવાની ના પડી દીધી હતી જેથી કરીને તેમણે તેને ઉપરી અધિકારીની સાથે વાત કરી હતી તો તેને પણ નોટ લેવામાં નહીં આવે તમારે આરબીઆઇમાં ફરિયાદ કરવી હોય તો કરી શકો છો તેવું કહ્યું હતું જેથી કરીને તે મુશ્કેલીમાં મુકાયા હતા ત્યાર બાદ મોરબીની સુધારા શેરીમાં આવેલ મુથ્થુટ ફાયનાન્સમાંથી રવિભાઈ ચંદુભાઈ મિયાત્રાએ ૫૫૦૦૦ ની ગોલ્ડ લોન લીધેલ હતી જે રકમ ભરવા માટે ગયા ત્યારે બે હજારની ૬ નોટ તેમાં આપી હતી ત્યારે મુથ્થુટ ફાયનાન્સના કર્મચારીએ તે ગુલાબી નોટ લેવાની ના પડી દીધી હતી આમ જુદીજુદી ખાનગી પેઢીઓમાં ગુલાબી નોટને લેવાનું બંધ કરવામાં આવ્યું છે જેથી કરીને હાલમાં ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગ્રાહકોની તકલીફ દૂર થાય તે માટે આવી ખાનગી પેઢીઓની સામે આરબીઆઇ દ્વારા આકરા પગલાં લેવામાં આવે તે જરૂરી છે






Latest News