મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના શ્રીમ સિરામિક પાછળ પાણીના ખાડામાં ડૂબી જતા બે વર્ષની બાળકીનું મોત


SHARE







મોરબીના શ્રીમ સિરામિક પાછળ પાણીના ખાડામાં ડૂબી જતા બે વર્ષની બાળકીનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક યુનીટના પાછળના ભાગે ઉપરોક્ત બનાવ બન્યો હતો જેમાં કારખાનામાંથી નિકળતા વેસ્ટ પાણીના ખાડાની અંદર રમતા રમતા પડી ગયેલ બે વર્ષની મજૂર પરિવારની બાળકીનું મોત નિપજયુ હોવાનું સામે આવેલ છે.

વધુમાં મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ ઉપરના શ્રીમ સિરામીકના પાછળના ભાગે કારખાનામાંથી નીકળેલા વેસ્ટ પાણીના ખાડામાં ત્યાં આવેલ લેબર કોલોનીમાં રહેતા મજૂર પરિવારની વનિતા દિલીપભાઈ ડામોર નામની બે વર્ષની બાળકી રમતા રમતા તે પાણીના ખાડામાં પડી ગઈ હતી જેના કારણે ડૂબી જવાથી બાળકીનું મોત નિપજ્યું હતું અને પીએમ માટે તેના મૃતદેહને સિવિલે લાવવામાં આવતા હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને આ બનાવ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

અપ્હત સગીરા મોરબીમાંથી મળી આવી

મોરબીમાંથી છાસવારે ગંભીર ગુનાના આરોપીઓ મોરબીમાંથી પકડાય છે. દરમ્યાનમાં મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવેલ સગીરા મોરબી હોવાની બાતમી મળતા સરસ્વતી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યશકરણસિંહ અમરસિંહ મોરબી આવ્યા હતા અને અહીં મોરબીની સ્થાનિક પોલીસને સાથે રાખીને તપાસ કરતા મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં સ્પેરીઓ સીરામીક નજીકથી ભોગ બનેલ સગીરા આરોપી બકાજી શ્રવણજી ઠાકોર (ઉમર ૧૯) મૂળ રહે.મોટા નાયતા આખલાણી પાર્ટી પ્લોટ પાસે સરસ્વતી જિલ્લો પાટણ મધ્યપ્રદેશ સાથે મોરબીમાંથી મળી આવતા હાલ બંનેને તપાસના કામે સાથે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓને અહીં મોરબીમાં કામે રાખનાર નૈનસિંહ ગોકુલસિંહ રહે.મધ્યપ્રદેશ વાળાને પણ તપાસના કામે એમપી પોલીસ સાથે લઈ ગઇ હોવાનું જાણવા મળ્યુ છે.






Latest News